SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ "ઈનવિઝીબલ પાવર' પોલિસી અન્યાયના, અપમાનના પ્રસંગોમાં ગુસ્સો થઈ જ જાય છે, રહી શકાતું નથી - તેની પાછળ કારણ શું ? જો થોડું આત્મનિરીક્ષણ કરશો તો ચોક્કસ કારણ જણાશે કે અન્યાય-અપમાન વગેરેના પ્રસંગોમાં લગભગ આવા પ્રકારની વિચારધારા ચાલતી હોય છે - “આ અપમાન સહન કરી લઈશ. તેનો ફાયદો શું? લોકોમાં તો મારું ખરાબ જ દેખાશે ને ? લોકો તો એમ જ સમજશે કે આવો આક્ષેપ પણ આ વ્યક્તિએ સહન કરી લીધો. માટે ચોક્કસ એનામાં જ કશીક ગરબડ હશે. બાકી જવાબ કેમ ન આપે ? અને જો એક વાર આને ચૂપ કરી દઈશ તો બીજી વાર કોઈનું પણ અપમાન કરતા દસ વાર વિચાર કરશે. બસ આ જ પ્રકારની માત્ર દુન્યવી સમીકરણોને જ લક્ષ્યમાં લઈ ચાલતી વિચારધારાને અપનાવી ગુસ્સો કરી બેસો છો. હવે, આ દુન્યવી પદાર્થોને જ કેન્દ્રમાં લઈને ચાલતી વિચારધારા છોડી દો. અદશ્ય પરિબળ, અદશ્ય શક્તિ ઉપર ભરોસો રાખો. સારા ભાવથી સારી પ્રવૃત્તિ કરશો તો તેનું પરિણામ ચોક્કસ સારું જ આવશે. કોઈએ તમારું અપમાન કર્યું, છતાં તમે તે સહન કરી લીધું તો કદાચ તે વખતે લોકોના મનમાં બીજા-ત્રીજા વિચારો આવી શકે છે. પણ, 388
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy