SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ડ છ9 (1) - જો દેહ, ઈન્દ્રિય અને મનમાં જ રમમાણ રહ્યા તો આ ક્રોધ તો ડાઘિયા કૂતરા જેવો છે. એની સોબત જ નઠારી છે. કૂતરા માટે કહેવાય છે કે - સોબત કરતા શ્વાનની, બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ, રીયું ચાટે મુખ. આ જ વાત ક્રોધ માટે પણ લાગુ પડે છે. માટે આ ક્રોધરૂપી કૂતરાની તો સોબત જ ન કરીએ - તે કલ્યાણકારી છે. આની સાથે દુશ્મનાવટ કે દોસ્તી કશું જ કરવાના બદલે તેનાથી દૂર-દૂર ચાલ્યા જવું, તે સ્વયમેવ પલાયન થશે - એ એક જ રસ્તો છે આત્મશાંતિનો. ટૂંકમાં, આ ડોગ પોલિસી એટલું જ કહે છે કે - “આ ક્રોધ કૂતરા જેવો છે. શરીર-ઈન્દ્રિય અને મનમાંથી ઉપયોગને વાળી આતમઘરમાં ઉપયોગને લાવી દો. પછી, ક્રોધ રૂપી કૂતરાની ખલેલ બંધ થયા વિના રહેશે નહીં.' આ છે ક્રોધ ઉપર વિજય મેળવવા માટેનો આંતરિક ઉપાય ! અત્યંતર ઉદ્યમ ! અંદરથી, મૂળથી ક્રોધને કાઢવાનો ઉપાય ! પ્રયત્ન શરૂ કરો. ઝીણવટપૂર્વક દરેક જગ્યાએ અને પ્રત્યેક પળે ઈન્દ્રિય કે દેહ તરફ જતા ઉપયોગને વાળો. અનંતઆનંદમય આત્માનું લક્ષ્ય પકડાવો. પછી ક્રોધ શોધ્યો નહીં જડે ! તા નરકનાં ત્રણ મુખ્ય દ્વાર : 1 ક્રોધ 2 વાસના 3 લોભ - ભગવદ્દગીતા ૩૫ર
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy