SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ - ક્યારેય પણ નિર્ધ્વસ બનીને, નિષ્ઠુર બનીને, બેપરવાહ બનીને પાપનું સેવન રસ-કસપૂર્વક ન કરે. મતલબ કે પાપ કર્યા પછી સમ્યગ્દષ્ટિ શ્રાવક પાપની ક્યારે ય પ્રશંસા ન કરે, બચાવ ન કરે. પણ તેનો ખરા અંતરથી પશ્ચાત્તાપ કરે અને ફરીથી તે પાપ ન સેવાઈ જાય તેની તકેદારી રાખે. જો પાપ પ્રત્યે પક્ષપાત પ્રગટે, પાપની પ્રશંસા કરવાનું મન થાય, બેચાર વ્યક્તિ આગળ પોતાના પાપને સત્ય ઠેરવવાની બાલિશ પ્રવૃત્તિ થાય તો સમજી રાખવાનું કે પાપનું સેવન નિર્વ્યસપણે થઈ રહ્યું છે કે થયું હતું. ક્રોધ અંગે પણ આ જ વાત લાગુ પડે છે. જો ક્રોધ કર્યા પછી એમ વિચાર મનમાં આવતો હોય કે - “મેં કર્યું તે બરાબર જ કર્યું. એ આ લાગનો જ હતો. એને તો હજુ આનાથી વધારે કહેવું જોઈએ. આ તો હતો એટલે આટલું જ બોલ્યો. બીજો કોઈ હોત તો બરાબર સંભળાવી જાત' - આ રીતે ખોટેખોટો પક્ષપાત જ ઉત્પન્ન થતો હોય તો ક્રોધસેવનમાં નિષ્ફરતા આવ્યા વિના રહે નહીં. આ ડાયરી પોલિસી અપનાવવા દ્વારા જો ક્રોધ કર્યા બદલ પશ્ચાત્તાપ પ્રગટતો હોય તો સમજવું કે ક્રોધમાંથી નિષ્ફરતા હવે રવાના થઈ ગઈ છે. ક્રોધ હવે ઝાઝો સમય તમારામાં ટકે તેવી શક્યતા નથી. ડાયરીમાં પડેલા કાળા ડાઘને ભૂંસવા જ પડે - તેવું જરૂરી નથી. પણ જો અનાદિ કાળની આ દુઃખદર્દભરી રખડપટ્ટીથી તમારે અટકવું હશે તો આ આત્મામાં પડેલા તમામે તમામ કષાયના ડાઘાઓને સાફ કરવા જ પડશે. તે વિના કોઈ છૂટકો નથી. જેટલા ક્રોધના ડાઘાઓ વધુ, તેટલી જ મહેનત ભારેમાં ભારે. ડાઘા પાડી દેવા તો બહુ સહેલા છે, પણ જ્યારે એ સાફ કરવાની આવશે ત્યારે નવનેજે પાણી ઉતરી જાય તેમ છે. જો આ ક્રોધના ડાઘા તમારે જ ભવિષ્યમાં સાફ કરવાના હોય, તો શા માટે ક્રોધ કરવાની મૂર્ખામી કરો છો ? બસ, ડાયરીમાં પડેલા કાળા ડાઘાઓને જોઈ જોઈ આત્માને સમજાવતા જશો એટલે પહેલાં દિવસના 15 ડાઘ પડતા હશે તો પછી 233
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy