________________ અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના હોદ્દા પર બિરાજમાન હતા ત્યારની વાત છે. અબ્રાહમ લિંકનના યુદ્ધમંત્રી અને લશ્કરના જનરલ મેજર વચ્ચે કંઈક ખટરાગ થઈ ચૂક્યો હતો. તેના અનુસંધાનમાં જનરલ મેજરે યુદ્ધમંત્રી ઉપર સણસણતો પત્ર લખ્યો હતો. એ પત્ર લઈને યુદ્ધમંત્રી અબ્રાહમ લિંકન સમક્ષ હાજર થયા હતા. પત્ર વાંચીને યુદ્ધમંત્રી અત્યંત ગરમ થઈ ચૂક્યા હતા. એમની મુખમુદ્રા જ તેની ચાડી ફેંકી દેતી હતી. અબ્રાહમ લિંકને વાત સાંભળી. યુદ્ધમંત્રીનો આવેશ પણ ઓળખી ગયા. પોતે સમજતા હતા કે જો આવી જ રીતે બન્ને પક્ષે ટપાલોનો મારો ચાલુ રહેશે તો રજનું ગજ થશે, પરિસ્થિતિ વણસી જશે. બન્ને વ્યક્તિઓ પ્રામાણિક હોવા છતાં અત્યારે અંટસે ભરાયા હોવાથી તેમને સમજાવવાનો પણ કોઈ અર્થ રહેતો ન હતો. અબ્રાહમ લિંકનને વિચારમાં પડેલા જોઈ યુદ્ધમંત્રી બોલ્યા - “શું વિચાર કરો છો સર ! આ જુવો તો ખરા કે કેટલા ખોટા અને ગંદા આક્ષેપો મારા ઉપર મૂક્યા છે ? સણસણતો પત્ર આવ્યો છે. શું આવા આક્ષેપો એક 182