SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ R0 પ્રાયઃ કરીને આપત્તિ આવે કે તરત જ માણસની મતિ બહેર મારી જતી હોય છે. મગજ કાબૂ બહાર જાય છે. તે વખતે જે વચ્ચે આવે તેનો ભોગ લેવાઈ જાય છે. ગુસ્સાને પ્રગટાવવા માટેના આ બહુ પ્રબળ નિમિત્તો છે. માટે, સૌથી પહેલાં તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ મનને શાંત કરવાની કળા આત્મસાત્ કરવી પડે. તેનો અમોઘ ઉપાય એટલે જ પ્રસ્તુત પોલિસી. વાદળો આકાશમાં અડાબીડ રીતે ઘેરાયેલા હોય. ધોધમાર વરસાદ પણ ચાલતો હોય. છતાં તમને સમજણ છે કે આ વાદળો સ્થાયી નથી. અહીં ધામો નાખીને કાયમ પડ્યા નથી રહેવાના. વાદળ તો પસાર થવા માટે આવે છે. આ જ રીતે દુઃખના, દર્દના, અશાતાના જે પણ વાદળ આવે છે તે પસાર થવા માટે આવે છે. થોડાક જ સમય એ રહેશે, દુઃખ વરસાવશે. પણ, આખરે તો એ જવાના જ છે. સ્થાયી રહી શકવાના નથી. તો પછી શા માટે આ થોડીક ક્ષણો/દિવસો કે મહિનાઓ સાચવી ન લઈએ ? જો આ સમયમાં હાયવોય કરીએ કે ઉદ્વેગવશ સામેવાળી વ્યક્તિ ઉપર ગુસ્સો કરી બેસીએ તો તેની અસર, તેના દ્વારા બંધાયેલા કર્મો - એ ચિરંજીવી બની રહેશે. જે દુઃખથી 178
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy