SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જો વનમાં ન ગયો હોત તો આમાંનું કશું જ જાણી શક્યો હોત કે કેમ ? - આ વાત પ્રશ્નના દાયરામાં જ રહે છે. આટ-આટલા ઉપકારો જે માએ જે દીકરા ઉપર કર્યા હોય તે માને તે દીકરા ઉપર વહાલ નથી - એમ કોણ કહી શકે ? આ બધી ઘટનાએ તો સ્પષ્ટ સાબિત કરી દીધું છે કે ભારત કરતાં પણ હું આપને વધુ વહાલો છું.” કેકેયી એક અક્ષર બોલી શકતી નથી. “રામ ! આટલી અધમતા મેં આચરી. છતાં તેને હકારાત્મક રીતે લઈ તેં મને પશ્ચાત્તાપની જ્વાળામાં મૂકી મારા મનના મેલને સાફ કરી દીધો - કેકેયીના દિલમાં ચાલતી આ વિચારધારાની સાક્ષી એના આંસુ જ પૂરતા હતા. જો આવા સમયે રામે બે કટુ વેણ સંભળાવ્યા હોત તો કેકેયીને તેવો પશ્ચાત્તાપ ન જાગત. કોઈ પણ વસ્તુ, વિચાર કે બનાવને પોઝિટીવ રીતે મૂલવશો તો ગુસ્સાને કાબૂમાં લેવો તમારા માટે અશક્ય નહીં રહે. કારણ કે નાની ઘટનાને ઊંધી લઈ આપણે ગુસ્સાને વશ થઈ જતા. હોઈએ છીએ. એક વાત સમજી રાખવા જેવી છે કે - મોટા માણસોની ?' મહાનતા નકારાત્મક દૃષ્ટિકોણને પકડવામાં નથી. પરંતુ, કટોકટીની પરિસ્થિતિમાં પણ હકારાત્મક અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવામાં છે. માટે જો મહાન બનવું હોય તો (પોઝિટીવ એગલ = હકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જ રહ્યો. સંત રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા. સાથે પોતાના શિષ્યો પણ હતા. એક મકાનની નીચે જેવા સંત પોતાના પરિવાર સાથે આવ્યા કે તે મકાનની ગેલેરીમાંથી નાસ્તિક જેવી બાઈએ રાખનો સૂડલો નાંખ્યો. સંત અને એમના શિષ્યો રાખથી ખરડાઈ ગયા. શિષ્યો અકળાઈ ઉઠ્યા, આક્રોશમાં આવી ગયા. ત્યાં જ એ સંત બોલ્યા - “પાડ માનો ઈશ્વરનો કે સળગતા અંગારા પડવાના બદલે તેની ઠરેલી રાખ જ પડી. જો સળગતા અંગારા પડ્યા હોત તો કાળી વેદના ભોગવતા હોત. આ તો વેદનામાંથી આપણે આબાદ બચી ગયા. આપણે પૂર્વજન્મોમાં એટલા પાપો કર્યા છે ને કે કદાચ રાખની જગ્યાએ 171
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy