SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સળગતા અંગારા પડ્યા હોત તો પણ ઓછું ગણાત. આ તો ભગવાને કૃપા કરી. ઠંડી રાખ જ આવી.” કટોકટીની પરિસ્થિતિમાં પણ કેવી સુંદર વિચારસરણી ! હકારાત્મક વિચારધારા ! નેગેટીવ એંગલ અપનાવવાના કારણે જ આપણે નાના-નાના પ્રસંગોમાં પણ ગુસ્સાનો ભોગ બની જતા હોઈએ છીએ. હકારાત્મક વિચારો ફક્ત વિચારવાના નથી, અમલમાં લાવવાના છે. એક ભાઈ મારી પાસે આવ્યા ને વાત કરી- “સાહેબ ! મારે 18,000/- રૂા. સત્કાર્યમાં ખર્ચવા છે. આપ કોઈ યોગ્ય ક્ષેત્ર જણાવો તો ત્યાં ખર્ચીશ.” મને થોડું આશ્ચર્ય થયું કે 20,000/- નહીં, 15,000/- નહીં ને 18,000/- જેવો થોડો “ઓડ’ આંકડો કેમ કીધો ? મેં સહજ જિજ્ઞાસાથી પૂછ્યું - "20,000/- નહીં ને 15,000/- નહીં. શા માટે 18,000/- જ ?" જ્યારે એ ભાગ્યશાળીએ મને વાત કરી ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે આવી હકારાત્મક વિચારસરણી ધરાવનારા પણ દુનિયામાં હોય છે. ભાઈએ મને એટલું જ કહ્યું કે - “મહારાજ સાહેબ ! કર્મસત્તાએ લપડાક લગાવી છે. તેથી મારી 82,000/- રૂપિયાની ઉઘરાણી 6 મહિનાથી સખત મહેનત કરવા છતાં આવતી નથી. અને સામેવાળી પાર્ટીની તેવી કોઈ તૈયારી હાલમાં દેખાતી નથી. એટલે ૮૨,૦૦૦/રૂપિયાના નામે તો મારે માંડવાળ જ કરવાની આવી છે. જો કર્મસત્તા મારી પાસેથી લાચારીપૂર્વક 82,000/- રૂપિયા પડાવી શકતી હોય તો કમ સે કમ 18,000/- રૂપિયા તો મારે ખુમારીપૂર્વક છોડવા છે. કારણ કે કર્મસત્તા 82,000/- ની જગ્યાએ 1,00,000/- રૂપિયા પણ મારી પાસેથી આંચકી શકતી હતી. - જો કર્મસત્તાએ મારા 1 લાખ રૂપિયા આંચક્યા હોત તો લાચારીથી મારે એક લાખ રૂપિયા છોડવા જ પડ્યા હોત. તો શા માટે ખુમારીથી 1 લાખ ના છોડું ? કર્મસત્તાને ય ખ્યાલ તો આવે કે એણે ખોટા સરનામે હુમલો કર્યો છે. ગઈ કાલે સાંજે જ્યારે સામેવાળી પાર્ટીએ 172
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy