SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણાષ્ટક આત્માને સકલસ્વરૂપના આવિર્ભાવના અનુભવથી ઉત્પન્ન થયેલો આનન્દ અનાદિકાળની પૌગલિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થએલા અને પુદ્ગલાનના ભક્તા જગતને વિસ્મયરૂપ છે અને શુદ્ધ તત્ત્વથી પરિપૂર્ણ થએલાને પિતાનું સ્વરૂપ હોવાથી વિરમયરૂપ નથી. તેથી પૂર્ણાનન્દના સાધનભૂત વિશુદ્ધ સમ્યજ્ઞાનાદિ રત્નત્રયને સાધવામાં યત્ન કરવા ચોગ્ય છે. परस्वत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः / स्वस्वत्वसुग्वपूर्णस्य न्यूनता न हरेरपि // 7 // પદ્રવ્યમાં સ્વપણાની બુદ્ધિથી જેણે વ્યાકુલતા કરી છે એવા રાજાઓ પણ બીજાની અપેક્ષાએ ન્યૂનતા (અપૂ તા) જોવાના સ્વભાવવાળા છે. અર્થાત બીજાની અપેક્ષાઓ પિતાનામાં અપૂર્ણતા જુએ છે. પરંતુ આત્મદ્રવ્યમાં આત્મપણાના સુખ-નિરપેક્ષ અનવછિન આનન્દ વડે પૂર્ણ થએલા જ્ઞાનીને ઇન્દ્ર કરતાં પણ ન્યનતા નથી. સ્વભાવ સુખ સર્વને સરખું છે, ત્યાં કેઇનાથી અધિકતા કે ન્યૂનતા નથી, જેના સંગ અને મમત્વભાવથી વિભાવ પરિણતિ થએલી છે તે પર વસ્તુમાં જેણે વ્યાકુળતા કરી છે એવા ચક પર્વતમાળા =જેઓએ પરવતુમાં આત્મપણાની બુદ્ધિથી ઉનાથ-વ્યાકુલતા કરી છે એવા મૂનાથા =રાજાઓ. ન્યૂનત્તેક્ષિણ = ન્યૂનતાને જોનારા, અલ્પતાને અનુભવ કરનારા. વરવત્વયુવપૂર્ણશ્યક આત્માને વિશે આત્મપણના સુખથી પૂર્ણ થએલાને. =નથી. નતા= એ છાપણું. દૃપિ=ઈજ કરતાં પણ.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy