SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ 376 પરિગ્રહાષ્ટક ચિત્માત્ર-જ્ઞાનમાત્ર પરિણામવાળા અપ્રમત્ત સાધુને - + A-V A N * --- તેનાં ગ્રહણ અને ધારણાદિ મૂછ વિના ન હોય, અને યુક્તાહારાદિ તે અનાહાર ભાવનારૂપ જ્ઞાનનું પ્રસાધન છે, તેને અસંભવ સાધુને નથી એવું દિગંબરે કહે છે. તેને પ્રતિબન્દી દૂષણ આપવાના અભિપ્રાયે ગ્રન્થકર્તા કહે છે– જ્ઞાનમાત્રને દીપક (અપ્રમત્ત સાધુ) નિર્વાતસ્થાન જેવા ધર્મોપકરણેએ કરીને નિષ્પરિગ્રહપણાની સ્થિરતાને પામે છે. એટલે જ્ઞાનદીપને તૈલસમાન યુક્તાહારે જેમ આધાર છે, તેમ નિવતસ્થાન તુલ્ય ધર્મોપકરણવડે પણ આધાર છે એમ જાણવું. - જ્ઞાનમાત્રના દીપક સમાન અપ્રમત્ત સાધુ નિવતપવનની પ્રેરણા રહિત સ્થાન-તુલ્ય ધર્મોપકરણે વડે પણ પરિગ્રહના અભાવરૂપ સ્થિરતાને સાધે છે. અહીં દિગંબરે ધર્મોપકરણને પણ પરિગ્રહ જાણતા તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે, પરંતુ ધર્મોપકરણથી પણ સ્થિરતા વધે છે. આ સંબધે ધર્મસંગ્રહણીમાં કહ્યું છે કે “શીત, આતપ અને દેશાદિ પરિષહે પ્રાપ્ત થતા સ્વાધ્યાયને વ્યાઘાત થયે નિસ્પૃહપણે ધર્મોપકરણનું ગ્રહણ કરવું તે સમાધિની સ્થિરતાનું કારણ થાય છે. મૂછરહિતને તેને પરિગ્રહ નથી. પુદ્ગલ અને જીવો એક ક્ષેત્રમાં રહેલા છે, તેથી એ પરિગ્રહરૂપ નથી. પરંતુ ચેતના તેના રાગ-દ્વેષના પરિણામ નસન્નિમૈ=પવનરહિત સ્થાનના જેવા. ધfપવા =ધર્મનાં ઉપકરણે વડે. વિ=પણ નિપરિગ્રહતાર્થ પરિગ્રહના ત્યાગરૂપ સ્થિરતાને. વાત પામે છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy