________________ 362 શિાસાષ્ટક 'સાવનાત ત્રાપુરા લુવાનિયા वचनं वीतरागस्य तत्तु नान्यस्य कस्यचित् // 3 // પંડિતોએ હિત શિખવવાથી અને રક્ષણ કરવાની શક્તિથી શાશ્વ શબ્દની વ્યુત્પત્તિ કરી છે. તે સર્વગુણસહિત કેવલજ્ઞાન મૂળ કારણ જેનું છે એવું વીતરાગનું વચન છે. બીજા કેઇનું વચન તે શાસ્ત્ર કહેવા યોગ્ય નથી. પ્રશમરતિમાં કહ્યું છે કે– "शासनसामर्थ्येन च संत्राणवलेनानवद्येन। युक्तं यत् तच्छास्त्रं तचैतत् सर्वविद्वचनम्" / “હિતશિક્ષા આપવાના સામર્થથી, અને નિર્દોષરક્ષણ કરવાની શક્તિથી યુક્ત હોય તે શાસ્ત્ર છે અને તે સર્વજ્ઞનું વચન છે.' | હિતશિક્ષા આપવાથી અને સંસારથી ભય પામેલા, કમથી ઘેરાયેલા અને વિભાવથી પીડિત થયેલા જીવોનું રક્ષણ કરવાની શક્તિ હોવાથી વિદ્વાનોએ તેને શાસ્ત્ર કહ્યું છે. “મોક્ષમાર્ગને શાસન-ઉપદેશ કરે છે માટે તે શાસ્ત્ર છે એમ તત્ત્વાર્થકાર કહે છે. સર્વ મોહના ક્ષયથી પરમ શમસ્વભાવને પ્રાપ્ત થયેલા વીતરાગનું વચન મોક્ષમાર્ગને ઉપદેશ કરનાર છે. પૂજ્ય ઉમાસ્વાતિવાચકે કહ્યું છે કે– "केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शनमनन्तम् / . 1 સનાત-હિતિપદેશ કરવાથી. ચ=અને ગાળી સર્વ જીવોને રક્ષણ કરવાના સામર્થ્યથી. યુ=પંડિતએ. રાત્રે નિરે= શાર્જશબ્દની વ્યુત્પત્તિ કરાય છે. તેTeતે શાસ્ત્ર તો. વાતરા ચકવીતરાગનું વચનં વચન છે. વરચ=બી. વાસ્થત કેઇનું. ન=નથી.