SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 126 ત્યાગાષ્ટક અનેક પૂર્વધરે, અનેક આચાર્ય–ઉપાધ્યાય, અનેક તપસ્વીઓ, અનેક નવીન દીક્ષિત મુનિઓ તથા અનેક દેવ દેવીઓના પરિવાર સહિત શ્રી સંભવનાથ તીર્થકર સર્વજ્ઞ, સર્વદશી, આકાશમાં રહેલા છત્ર વડે, આકાશમાં રહેલા ચક વડે, વીંજાતા વેત ચામરો વડે અને આગળ ચાલતા ધર્મધ્વજ વડે શોભતા, નગરની બહાર સમોસર્યા. દેવોએ ત્રણ ગઢવાળું સમવસરણ રચ્યું. વનપાલે કુમારને વધામણી આપી કે તમારા પુણ્યના યોગે જેનું પ્રતિદિવસ દર્શન ઈચ્છો છો તે, સર્વ જગતના જીના વત્સલ તીર્થકર સમેસર્યા છે. તે સમયે કુમાર સો સ્ત્રીઓ વડે ઘેરાયેલું હતું. તેથી તેણે તે સ્ત્રીઓને કહ્યું કે સાંભળે-“મને તારનાર, મમત્વ રહિત, અહંકાર રહિત, અકિંચન, સર્વજ્ઞ, સર્વદશી, જિન, વીતરાગ અને શુદ્ધ ધર્મના ઉપદેશક આવેલા છે, માટે હું તેમને વન્દન કરવા માટે જઉં છું.” એમ કહી રે માંચયુક્ત થઈને ઉડ્યો અને શ્રીજિનના વંદનને માટે ચાલે. માર્ગમાં પણ લેકના સમુદાયને કહેતું હતું કે “અહો ! મારા ભગવાન અકિંચન–પરિગ્રહ રહિત છે, મારા ભગવાન્ તૃષ્ણારહિત છે, જે તમે સુખના અથી હો તે વંદન કરવા ચાલે. તમને સર્વ સંશયને છેદનાર પરમેશ્વરના દર્શન થશે.” એમ બોલતો તે સ્ત્રીઓના પરિવાર સાથે ઉદ્યાનમાં પહોંચ્યા. તીર્થકરના અતિશયે જઈને કહે છે કે હે ભદ્ર! ત્રિભુવનના જનના મનને આશ્ચર્ય કરનાર અને સુરેન્દ્રો વડે વંદિત છે ચરણ જેના એ ખુશ થતે બીજે કઈ છે?” એમ અરિહંતની સન્મુખ જોઈને પ્રપુલ્લિત થએલા નેત્ર અને વદનકમલવાળો તે કુમાર બેલ્ય–
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy