SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 28 હું આત્મા છું ઉદાસીનતાના ભાવે વર્યા કરે છે, તેને દર્શન કહો, શ્રદ્ધા કહ, સમક્તિ કહો, બધું જ તેમાં છે. અને તેથી જ “દા સુઈસ્ટદા !" ની સૂક્તિ ત્યાં સાર્થક થાય છે. બધું જ મળવું સહેલું છે પણ દર્શન–આત્માની અનુભવ દશા જ દુર્લભ છે. આથી દુર્લભ દશાની પ્રાપ્તિ એટલે જ જીવનું સુલટાપણું. અનાદિથી ઉલટો હતો તે સુલટ થઈ જાય અને તેથી જ જે જ્ઞાન માત્ર સંસારના પરિભ્રમણનું કારણ હતું તે એક ક્ષણ માત્રમાં સંસારનાશનું અમોઘ સાધન બને છે અને તેથી અંતરંગમાં ત્રિકાળ અસંગ દશા પ્રગટ થાય છે. જેથી પિતે પિતામાં gm ન0િ ને લાફ, નામન / ની ઊંડી અનુભૂતિ કરે છે. જો કે આ અપૂર્વ અનુભવ અલ્પ સમયને જ હોય છે, પણ તે અનિવાર્ય છે. ઔપશમિક કે શાપથમિક અનુભવ અલ્પ સમયને હેવાનું કારણ આત્માની તેવી ભાવસ્થિતિ છે. પણ એક વખત જે આ અનુભવ ન થાય તો જીવને ગતિ અને પ્રગતિને અવકાશ જ ક્યાં છે! માટે આટલે અનુભવ એ પણ આત્માનું પરમ સૌભાગ્ય છે. અહીં સુધી જીવ દર્શન ભામાં જ છે. પણ ના, અહીંથી જ એને અટકી જવાનું નથી. હજુ આગળ વધવું આવશ્યક છે તે ક્યાં અને કેવી રીતે ? એ બતાવતાં શ્રીમદ્જીએ કહ્યું - જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગમૂળ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણુલિંગમૂળ જે જ્ઞાનથી જાણ્યું તેને અનુભવથી માણ્યું. આત્મદશાને આ અનુભવ અનન્ય અને અલૌકિક હોય છે. એક વખત આ અદ્દભૂત અનુભૂતિ થયા પછી વારંવાર ફરી-ફરી જીવને એ માણવાની વૃત્તિ થયા જ કરે. અને ક્યારેક ક્યારેક એ માણતા પણ હોય. પરંતુ અંતરની જિજ્ઞાસા પ્રબળતમ વેગમાં વહેવા માંડે અને તે વેગ જ્યારે પ્રવેગનું રૂપ ધારણ કરે ત્યારે
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy