SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ 339 જ્યાં પ્રગટે સુવિચારણા રહ્યા કરે છે, જેને જીવ માણ્યા કરે છે. તેને માણને મમળાવ્યા કરે છે. એ માણ્યા પછી કઈ પણ પ્રકારની અતૃપ્તિ કે દુઃખને અનુભવ શેષ રહેતું નથી. જ્યારે ઈદ્રિયગમ્ય અનુભવ પછી અતૃપ્તિ રહે છે. સુખની પાછળ દુઃખને પડછાયે ઊભો હોય છે. તેથી જ શ્રીમજી કહે છે - પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં ઈદ્રિયજન્ય અનુભવમાં સુખની માન્યતાવાળા અને વિચારવું ઘટે કે કઈ પણ પ્રકારનું વિષય સુખ મેળવ્યા પછી તેની પાછળ હતાશાનું, અતૃપ્તિનું, અરુચિનું દુઃખ ઊભું જ હોય છે. વળી સંસારનાં સુખની અનુભૂતિ નિરંતર સુખમય જ હોય એવું પણ નથી બનતું. એ સુખ ભેગવતાં-જોગવતાં પણ વચમાં દુઃખને વિચાર, દુઃખને અનુભવ થેડી ક્ષણો માટે થઈ જતો હોય છે. ત્યાં સુખ સ્થાયી નથી. માટે એ બધા જ અનુભવે પરિણામે દુઃખકર્તા જ છે. વળી ઈદ્રિયજન્ય સુખાનુભૂતિ મન સુધી જ પહોંચે છે. એથી વધુ ઊંડાણમાં જઈ શકે નહીં. મન જડ છે. જડના આશ્રયે નિપજેલું સુખ ચેતનને સુખ કેમ આપી શકે ? ચેતનનું સુખ તે ચેતનમાંથી જ આવિભૂત હોય. માટે જ ઇન્દ્રિય મનને આશ્રય છેડીને આત્મા સુધી પહોંચે ત્યારે નિજજ્ઞાન થાય, અને એ જ્ઞાન દુ:ખ રહિતનું સુખ આપે. નિજજ્ઞાન એટલે પિતાને પોતાની ઓળખાણું. પિતાને પરિચય, પિતાને અનુભવ, પિતામાં સ્થિરતા. આ બધી કમિક વિકાસની અવસ્થા છે. નિજાનંદની મસ્તી અનુભવતે જીવ ક્રમે-કમે ક્યાં સુધી પહોંચે છે! અહીં તે કડી જોડાયેલી છે. સહુથી પ્રથમ અંતરમાં આત્માર્થ દશા, દશા પછી સદ્ગુરુને યેગ, સદ્ગુરુના બેધના આશ્રયે સુવિચારણા, સુ-વિચારણાથી નિજજ્ઞાન અને નિજજ્ઞાનથી મેહને ક્ષય, પરિણામે નિર્વાણ. આમ Fઆત્માર્થદશાનું પકવ ફળ છે મોક્ષ. માટે જ સમ્યગદર્શનની મહત્તા અપરંપાર છે. શ્રીમદ્જીએ આવા સમ્યગ્રદર્શનને ઠેર-ઠેર નમસ્કાર કર્યા છે[ અનત કાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું, તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવાનિવૃત્તિરૂપ ર્યું તે કલ્યાણમૂતિ સન્દર્શનને નમસ્કાર.
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy