SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ 122 હું આત્મા છું ન થાય. તેને નષ્ટ થઈ જવું પડે. પણ બીજમાંથી નીકળેલ સુ-કમળ અતિ સૂક્ષ્મ અંકુર, કઠોર ધરતીના પડને પિતાની ચેતના શક્તિથી ભેદીને બહાર નીકળે, બહારના વિશ્વને દષ્ટિગોચર થાય ત્યારે તે ઉગ્યું કહેવાય. બીજી વાત-કેણ ઉગાડે? ધરતીમાં નાખવાનું કામ કેઈ મનુષ્ય કે પશુ-પંખી કરે. બસ ! એથી વિશેષ બીજા કંઈ ન કરે. બહ તે માનવપ્રેરણા કામ કરતી હોય તે ખાતર-પાણી આપે. પણ ઉગવાની જે પ્રક્રિયા છે તે પિતે પિતામાં કરવી પડે. બીજમાં રહેલી ચેતના તેની આસપાસમાંથી ખેરાક-પાણી–હવા-પ્રકાશ લઈને પિતાને ભેદી નાખે. એટલું જ નહીં ધરતીમાંથી અંકુરને બહાર નીકળવામાં પણ કેઈ તેને મદદરૂપ ન થાય. પોતે જ પ્રયાસ વડે ઉગવું પડે. એથી પણ આગળ વધીને નાને એ અંકુર માત્ર અંકુર રૂપે પડયો રહે તે તેનું અંકુર રૂપ ઉગવું નિરર્થક થઈ જાય છે. પણ ઉગ્યા પછી નિરંતર વૃદ્ધિગત થયા કરે. વૃદ્ધિ પામતાં પામતાં 50-60 કે એથી પણ વધારે ફીટની ઊંચાઈએ પહોંચી જાય. અને તેનામાં રહેલી શક્તિ તેને 180200 વર્ષનું લાંબું આયુષ્ય પણ અપે. આજે પણ, વર્ષો જુનાં વૃક્ષ આપણે જોઈ શકીએ છીએ જે પિતાની શરૂઆતમાં માત્ર અંકુર રૂપ ઉગ્યાં હતાં. સમયના પરિપાકની સાથે તેનામાં થયેલા વિકાસ આજ પ્રત્યક્ષ છે. - હવે આપણું અંતરમાં આત્મ વિચારને ઉગાડે છે તે શું કરવું પડે? તે પહેલાં તે માટીમાં ધરબાયેલા બીજની જેમ ગુરુદેવના ઉપકારને એકે-એક રેમથી સ્વીકાર કરીએ. તેમના ઉપકાર નીચે દબાઈ જઈએ. આપણું જાતને ભૂલી જઈએ. ‘પણ ત્યાગ કરી દઈએ. અને ગુરુ દેવના ઉપદેશ રૂપ, વાણી રૂપ, હવા, પાણી, ખેરાકને પિતાના આત્મસાત્ થવા દઈએ. એ ધીરે-ધીરે થાય, એક સાથે ન થાય. વળી જે તેમાં નિરંતરતા રહે તે જ થાય. ગુરુદેવની વાણને સ્વીકાર કરી, તેને અંતરમાં વાગોળ્યા કરીએ તે જ એ અંતરમાં સ્થિર થાય. ક્ષણિક તરંગ રૂ૫ આત્મવિચાર જાગીને અરત થઈ જાય છે તેમાંથી કંઈ ફળ મળે નહીં. તળાવના પાણીમાં ઉઠતા તરંગે, ઉઠે ને શમી જાય તેની કેઈ ગણતરી નહીં. કેઈ ઉપયોગિતા
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy