________________ 2174 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સખત કાયદા થયા હતા. આઠમા હેત્રીના સમયમાં કાયદો થયો હતો કે ભિખારીને જે કઈ કાંદ બક્ષીસ આપે તેને તેથી દશગણે દંડ કરે. તંદુરસ્ત ભીખારીને પ્રથમ ગુના માટે ફટકા મારવા, બીજા ગુના માટે તેના કાનનું ટેરવું કાપવું, અને ત્રીજાને માટે તેને મૃત્યુની સજા કરવી. છઠ્ઠા એડવર્ડના સમયમા ક્રર કાયદે કરવામાં આવ્યો હતો કે જે તંદુરસ્ત ભીખારી કામ કરવાની ના પાડે તેને ડામ દેવો, અને જેણે તે ગુનાની ખબર આપી હોય તેનો ગુલામ બે વર્ષ સુધી એ રહે. ત્યાંથી જે એ નાસી જાય તે પ્રથમ ગુનાને માટે એ કાયમનો ગુલામ થઈ રહે અને બીજા ગુનાને માટે તેનું મોત થાય. પિતાના ગુલામની ડોકે લેઢાની હાંસડી પેહેરાવવાની, તેને બેડી ઘાલવાની અને ફટકા મારવાની સત્તા શેઠને હતી. રાણી એલીઝાબેથના સમયમાં પણ કાયદા થયા હતા, અને ગરીબને માટે કાયદાની વિસ્તારપૂર્વક વ્યવસ્થા બાંધી હતી. પરંતુ હવે માલ્થ સિદ્ધ કરી આપ્યું છે કે એવી વ્યવસ્થાથી પણ કરકસરની ટેવને ઉત્તેજન મળી શકતું નથી. ઘણું કેથલિક દેશોમાં પણ ભીખની સામે સખત પગલાં લેવાયાં હતાં. કાર્યદક્ષ અને ચતુર ધર્માધ્યક્ષ પાંચમા સિકસટસે તે ધંધો રમમાં અટકાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. નેધરલાંડ અને કાન્સમાં પણ કાયદા થયા હતા. પરંતુ જે કે ભીખને ધંધો સૌને સંકટરૂપ લાગતો હતું, તથાપિ અઢારમા સૈકા પહેલાં તેનાં કારણેની તાત્વિક તપાસ કેઈએ કરી નહોતી. તે સૈકામાં લો કબાલી, ડિફે, માલ્યુસ ઈત્યાદિ પુરૂષોએ આ બાબતમાં લખી નવીન પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ અત્યાર સુધી આ ગ્રંથમાં જે કહેવાયું છે તેનાથી વિશેષ જાણવા જેવું કાંઈ નવું નથી. મનુષ્યના હૃદયને કોમળ બનાવવાનો પ્રયત્ન એક બીજી રીતે પણ ખ્રિસ્તિ ધર્મ કર્યો છે; કારણ કે કોમળ અને કાણિક ચિત્રોથી કલ્પનાને નિરંતર પરિચિત રાખવાના ઉપાય એ ધર્મે બહુ જ્યા છે. આપણું નૈ. તિક ચારિત્ર્ય ઉપર બુદ્ધિ કરતાં કલ્પનાની અસર ઘણું કરીને વધારે ઉંડી થાય છે; અને કલ્પનાની કેળવણી ગરીબોના સંબંધમાં ખાસ કરીને ઘણી અગત્યની અને અમૂલ્ય હોય છે. આખી જીંદગી પર્યત એક જગાએ તેઓ