SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 275 બધાએલા રહે છે, અજ્ઞાનતા અને પિતાની સ્થિતિને લીધે મનને પ્રફુલ કરે એવા જીવનના અન્ય પ્રકારથી તેઓ બહિષ્કૃત હોય છે, નિરંતર મજુરી કરવાની જ તેમને હોય છે, ઇત્યાદિ કારણોને લીધે તેમનું જીવન કેવળ સંકુચિત અને નિરસ થઈ જાત, પણ કલ્પનાને લીધે તે વિશાળ અને ઉન્નત બને છે. ગરીબનું પરમ દૈવત ધર્મ છે. તેમના વિચારની સાંકડી દષ્ટિ-મર્યાદાને તે વિસ્તૃત કરે છે. તેમની અસ્પષ્ટ ભાવનાઓની માનસિક મૂર્તિઓ તે પૂરી પાડે છે, અને ઇંદ્રિયાતીત અને અગોચર પ્રતિ તેમને ખેંચી જાય છે. વિધર્મીઓની કલ્પના જગતમાં લલિત પ્રાણીઓની સૃષ્ટિ ઉપજાવતી અને તેથી ખેડૂતોને પિતાની મહેનતમાં કલ્પનાજનક મનહર આનંદ આવતો હતો. ખેતીની દરેક અવસ્થામાં કોઈને કોઈ દેવ અધિષ્ઠાતા મનાત હતા અને તેથી દેના સહચારથી તેમને સંસાર રમણીય અને આનંદદાયી થતું હતું. પરંતુ ખ્રિસ્તિ ધર્મની કલ્પનાઓમાં ખાસ ગુણ એ હતો કે તેથી કલ્પનાને મેહ ઉપજને, એટલું જ નહિ પણ સાથે હૃદય પણ વિશુદ્ધ થતું હતું. ઈશુખ્રિસ્ત, કુંવારી માતા મેરી, અને દુઃખ અને દયાના ઘણા પ્રસંગોના ચિત્રોનું સૌદર્ય ખ્રિસ્તિ ધર્મના પવિત્ર ગ્રંથમાં એવું કમળ અને હદયહારી આપેલું છે કે સેંકડો વર્ષોથી માણસ જાતની અત્યંત અણઘડ અને અજ્ઞાન કલ્પનાઓનું તેણે નિયમન કરેલું છે. દેવળમાં કે કબ્રસ્તાનમાં, ઠેકાણે ઠેકાણે અને જ્યાં જ્યાં તેની દષ્ટિ ખેંચાઈ શકે ત્યાં ત્યાં કોમળ હૈદર્ય અને કારૂણિક મૃદુલ ભાવેનાં ચિત્રો ગરીબની કલ્પનાને ગ્રસ્ત કરે છે અને ચૂપકીથી તેના અંતરના ઉંડા ભાગમાં ઉતરી તેનું આખું જીવન બદલાવી નાખે છે; અને નિબળતા અને દુઃખની પવિત્રતા, દયા અને મૃદુતાની શ્રેષ્ટ ભવ્યતા સમજતાં તે શીખે છે. સારાંશ કે ખ્રિસ્તિઓની જન–સેવાનાં કાર્યોની અસર મોટી અને પણ થઈ છે. તેની ખામી ખેડ પણ આપણે છાની રાખી નથી. પરંતુ એકંદરે તેના પ્રત્યે આપણું ગંભીર માન થવું યોગ્ય છે. મનુષ્ય-જંદગીની પવિત્રતાને તેમણે બાંધેલે અતિ ઉચ્ચ વિચાર, બાળકનું સંરક્ષણ, ગુલામવર્ગની છેવટ મુક્તિ અને ઉત્કર્ષ, જંગલી રમતને નિરોધ, અનેક
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy