SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 273 ઈગ્લાંડમાં જ્યારે હેત્રી રાજાએ મઠની મિલ્કત લુટી પિતાના દરબારીઓને આપી દીધી ત્યારે તેથી ગરીબ વર્ગને અંતે લાભ જ થયું છે. દુઃખ અને માંદગીની પીડા ઓછી કરવામાં અને ખાસ સંકટના સમયમાં કેથલિકાએ કરેલી જનસેવા જેવી તેવી નથી એ વાત કબુલ છે; પરંતુ એકંદરે ગરીબાઈની બાબતમાં જે દુઃખ તેમણે મટાડયું છે તેના કરતાં વધાર્યું છે ઘણું એ નિસંશય છે. છતાં આપણે અત્ર એટલું પણ ભૂલી જવું જોઈતું નથી કે બક્ષીસ ગમે તેવી અવિચારી અને વિવેકહીન હોય, અથવા તેની શરૂઆત વાર્થથી થઈ હોય કે લેનારને તે નુકસાનકારક થતી હોય તે સમયે પણ દેનારના ચારિત્ર્ય ઉપર એક પ્રકારની કોમળ અને વિશુદ્ધ અસર ઉપજાવ્યા વિના તે રહેતી નથી. મધ્યકાળના અતિ અંધકારમય સમયમાં જ્યારે ચારે તરફ ક્રૂરતા, ધાર્મિક ઝનુન અને ગલીપણને ત્રાસ વરતાઈ રહ્યો હતો, ત્યારે કેથલિક સમયની કમળતા પણ સાથે સાથે દષ્ટ થતી હતી. તે કાળના સમાજની છિન્નભિન્ન અવસ્થામાં પણ રાજાઓ, રાણીઓ અને પાદરીઓએ ગરીબની વહારે ધાવામાં પિતાની જીંદગીને મુખ્ય ઉદ્દેશ ગણ્યો છે. ક્રુસેડ નામના ધર્મવિગ્રહોમાં ક્રૂરતા, સ્વછંદ અને ઝનુનને પાર નહોતો, પરંતુ સાથે સાથે દયાની વિશાળ પ્રવૃત્તિ પણ હતી અને આખા યુરોપમાં રક્તપીતીઆઓ માટે ઈસ્પિતાલે થઈ હતી અને અનેક રીતે લેકેનું દુઃખ ઓછું કરવાના ઉત્સાહી પ્રયત્ન થયા હતા. અને કૂરમાં ક્રૂર માણસો પણ ઈશુખ્રિસ્તની સેવા કરવા અર્થે ગરીબેને નિભાવવાનું પિતાનું પરમ કર્તવ્ય ગણતા હતા. જ્યાં જ્યાં કેથલિક ધર્મગુરૂઓની સત્તા નિરંકુશ હતી ત્યાં ત્યાં તેમની અવિવેકી સખાવતોનાં ઉપર કહેલાં બૂરાં પરિણામ આવ્યાં છે. તેરમા સૈકાથી જ આવી સખાવત સામે વિરૂદ્ધ મત જાહેર કરવામાં આવતું હતું, અને ધર્મ-સુધારણું પહેલાં પણ તેને માટે ઉપાયો યોજવામાં આવ્યા હતા. ભીખના ધંધાને નિમ્ન કરવાની આશાએ ઈગ્લાંડમાં ઘણા
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy