________________
૩૬૫
રહેવાનું વચન આપે, તે પિતાનું નૌકાસૈન્ય ઘટાડવાની સમ્રાટે તત્પરતા. દર્શાવી. પરંતુ ઈગ્લેન્ડે કોઈ પણ પ્રકારની બાંહેધરી આપવાની ના પાડી, અને વિષ્ટિ એટલેથી અધુરી રહી. જર્મનીમાં જોઈ લીધું કે ઈગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનો સંબંધ તોડે તૂટે તેમ નથી.
મિત્રરાજ્યની ત્રિપુટીઃ ઈ. સ. ૧૯૦૪થી ઈગ્લેન્ડે ફ્રાન્સ જેડે ગાઢ સંબંધ બાંધી લીધો. ઇ. સ. ૧૯૦૪માં ફ્રાન્સ અને ગ્રેટબ્રિટને બે સંધિ કરી. એક સંધિમાં ફ્રાન્સે ઈંગ્લેન્ડનું મિસરમાં, અને ઈલેન્ડે ફાન્સનું મેરોક્કોમાં આધિપત્ય સ્વીકાર્યું. યુફેકટની બીજી સંધિથી ન્યૂફાઉન્ડલેન્ડના વાયવ્ય અને ઈશાન કેણમાં માછીમારનાં ઝુંપડાં અને કારખાનાં બાંધવાને મળેલ હક છોડી દેવાનું ફાન્સે સ્વીકાર્યું, અને તેના બદલામાં ગ્રેટબ્રિટને તેને પશ્ચિમ આફ્રિકામાં આવેલા ગેમ્બિઓમાં ઘેડ પ્રદેશ આપ્યો.
ત્રણ વર્ષ પછી ઈંગ્લેન્ડે રશિઆ સાથે સંધિ કરી ઈરાન, અફઘાનિસ્તાન અને ટિબેટના પ્રશ્નોનું નિરાકરણ કરી નાખ્યું. હવે બંને મહારાજ્યોએ એ દેશમાં ઉપરીપદ મેળવવાની કે રાજદ્વારી વગ વધારવાની સ્પર્ધા કરવાનું મૂકી દેવાનું કબૂલ કર્યું. આ પ્રમાણે ગ્રેટબ્રિટને રશિઆ જોડે મૈત્રી વધારવાની નીતિ સ્વીકારી. ફ્રાન્સ અને રશિઆને તે છેક ઇ. સ. ૧૮૯૬માં સંધિ થઈ હતી, એટલે હવે ત્રણે રાજ્યો એકબીજાનાં મિત્ર બન્યાં. જર્મની, ઑસ્ટ્રિઆઅને ઈટલીની મધ્ય યુરોપની ત્રિપુટી સામે આ બીજી ત્રિપુટી બંધાઈ. તેને વિચાર યુદ્ધ જગાડવાને નહિ, પણ યુદ્ધ ટાળવાને હતો. એ ત્રણમાંથી કઈ રાજ્ય અસહાય નહિ પણ એક બીજાની હૂમાં છે, એમ મહત્ત્વાકાંક્ષી જર્મનીને ઠસાવી યુરોપની સત્તાતુલા જાળવી રાખવાનો તેમનો ઉદ્દેશ હતો. પરંતુ દેવની ઈચ્છા જુદી હતી, અને યુદ્ધને દૈત્ય જાગી ઊઠયો હતા. ઈ. સ. ૧૯૧૧ની યુદ્ધ ટાળનારી શક્તિઓ ઈ. સ. ૧૯૧૪ના દાણ જંગને અટકાવી શકી નહિ, અને વિગ્રહની સર્વભક્ષી જવાળાઓ યુરોપને ઘેરી વળી.