________________
૩૬૪
ઇ. સ. ૧૯૦૪માં ફ્રાન્સે મારાકોમાં પગપેસારા કરવા માંડયા, એ વાત જર્મન સમ્રાટ્ન અણગમતી થઈ. ઇ. સ. ૧૯૦૫માં જર્મન સમ્રાટ્ અણુધાર્યા રેંજીર જઈ પહેાંચ્યા, અને ત્યાં તેણે મારાકોની સ્વતંત્રતા ઉપર ભાષણ કરી પડકાર કર્યા, કે મારાકોમાં જર્મનીના હિતનું રક્ષણ થવાની પણ જરૂર છે. ઈંગ્લેન્ડે ફ્રાન્સ જોડે સંધિ કરી ફ્રાન્સે મારાક્કોમાં કરેલું કામ મંજુર કર્યું હતું, એટલે જર્મન સમ્રાટ્ના શબ્દોથી એ બંને રાજ્યાને તેના પ્રત્યે વિરાધ ઉત્પન્ન થયા. મારાકોના પ્રશ્નના નિર્ણય આણુવા માટે ઇ, સ. ૧૯૦૬માં ગ્રેટબ્રિટન, જર્મની, ફ્રાન્સ, રશિઆ, ઈટલી, અને સ્પેનનાં રાજ્યાની પરિષદ્ જીબ્રાલ્ટર પાસે આવેલા એસિરાસ બંદરે મળી. તેમાં નિર્ણય થયા, કે મારેાક્કોના સુલતાનને સ્વતંત્ર રહેવા દેવા, તેણે સર્વ રાજ્યાના વ્યાપારી હિતને સરખું સંરક્ષણ આપવું, અને મારે કોના પ્રાંતા અખંડ રાખવા.
દરમિઆન દેશમાં ચાલતી અવ્યવસ્થા, લૂંટફાટ, અને ખૂનામરકીથી કંટાળીને ઇ. સ. ૧૯૧૧માં સુલતાને ફ્રાન્સનું રક્ષણ માગ્યું. ફ્રાન્સે સુલતાનને સહાય આપવાને નિર્ણય સર્વ રાજ્યાને જણાવી દીધા. હવે ફ્રેન્ચ પેાલીસથી મારાકોની પ્રજાનું રક્ષણ થવા લાગ્યું. એથી જર્મનીને પોતાના હિતમાં નુકસાન ભાસ્યું, એટલે મારાકોમાં વસતી જર્મન પ્રજાનું રક્ષણ કરવાને જર્મન સામ્રાટ્ સમર્થ છે, એ આશયથી અગાદીર બંદરે લડાયક હાજ મેકલવામાં આવ્યું. ઈંગ્લેન્ડે પડકાર કર્યાં, કે યુદ્ધને પ્રસંગ આવશે તેા ઈંગ્લેન્ડ શાંત બેસી ન રહેતાં ફ્રાન્સની પડખે લડશે. જર્મની થંભી ગયું; તેને યુદ્ધને જુસ્સા શમી ગયેા. પરંતુ પોતાનાં જળસ્થળસૈન્યેા વધારવા માટે તેણે અઢળક દ્રવ્ય વાપર્યું.
હવે સ્પષ્ટ હતું કે પ્રત્યક્ષ વિરાધ નહિ હોવા છતાં ફ્રાન્સ અને જર્મની એક બીજા પ્રત્યે દુશ્મનાવટ વધારતાં હતાં, અને ઈંગ્લેન્ડની સહાનુભૂતિ ફ્રાન્સ તરફ હતી. જર્મન સમ્રાટ્ન ઇચ્છાથી લાર્ડ હોલ્ડેન બર્લિન ગયેા, ઇ. સ. ૧૯૧૨. જર્મનીએ તેની મારફતે ઈંગ્લેન્ડ જોડે વિષ્ટિ ચલાવવા માંડી. જર્મનીને જબરૂં નૌકાસૈન્ય રાખવાની જરૂર નથી એમ કહી લાર્ડ હોલ્ડેને જણાવ્યું, કે ઈંગ્લેન્ડને જર્મનીના આશયેા પ્રત્યે શંકા રહ્યાં કરે છે. આના અદલામાં યુરેાપમાં મહાવિગ્રહના દાવાનળ ફાટી નીકળે, ત્યારે ઈંગ્લેન્ડ તટસ્થ