________________
૩૪૬
* કેનિંગઃ ઇ. સ. ૧૮૨૨માં કેસલરીધે આત્મહત્યા કરી, એટલે તેને સ્થાને બાવન વર્ષને, દેખાવડે, ચપળ, બુદ્ધિશાળી, અને હસીલ કેનિંગ પરદેશ ખાતાને મંત્રી થયો. તે સ્વતંત્રતાને શોખીન હતો, પણ ઈગ્લેન્ડનું હિત જોવાની પરદેશનીતિમાં તે કેસલરીધને ચીલે ચાલ્યો. તે કહેતો કે દરેક પ્રજાએ પોતાનું હિત સંભાળવું, અને ઈશ્વર સર્વનું હિત સંભાળશે. દરમિઆન દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનો સ્પેનથી સ્વતંત્ર થવા પ્રયાસ કરતા હતાં, તેમને તેણે ઉત્તેજન આપ્યું. સ્પેનને આશા હતી કે જેમ પૂર્વે ફ્રાન્સનાં શસ્ત્રોની સહાયથી પ્રજાને બળવો શમાવી શકાયો હતો, તેમ સંસ્થાનોના બળવાના કટોકટીના મામલામાં એજ સહાય મળશે, અને સંસ્થાનોની વીફરેલી પ્રજને દબાવી શકાશે. પરંતુ કેનિંગ ચતુર અને સાવધ હતો. તેણે ફ્રાન્સની વગ પેનમાં વધી જાય, તો પેનને શક્તિહીણું કરી નાખવાને સંકલ્પ કર્યો. એથી તેણે સંસ્થાનોની સ્વતંત્રતા સ્વીકારી. તેણે તેમની જોડે વેપારી સંધિ કરી, અને જુદે જુદે સ્થળે ગ્રેટબ્રિટનના આડતી આ નીમી દીધા. પરંતુ થોડા સમય પછી અમેરિકાનાં સંયુક્ત સંસ્થાના પ્રમુખ મનરેએ જાહેર કર્યું, કે યુરોપના કેાઈ પણ રાજ્યને અમેરિકાના પ્રકરણમાં વચ્ચે પડવાની જરૂર નથી. અમેરિકા કંઈ યુરેપી રાજ્યોને લૂંટ પાડવાનું સ્થળ નથી, અને કઈ પણ યુરેપી રાજ્ય એ ખંડમાં પોતાનું રાજ્ય સ્થાપવા કે વધારવા પ્રયત્ન કરશે, તે સંયુક્ત સંસ્થાને તેને ચેક વિરોધ કરશે. કેનિંગે પણ મનરોના સિદ્ધાંતને અનમેદન આપ્યું, એટલે ઈલેન્ડમાં કેનિંગના વિરોધીઓએ ખળભળાટ મચાવી મૂક્યો. તેમણે જણાવ્યું કે સંસ્થાની સ્વતંત્રતા સ્વીકારવી એ આયર્લેન્ડના બળવાખોરને ઉત્તેજન આપવા જેવું છે. પરંતુ કેનિંગ એવા કશા ભયથી ડરી જાય એવો ન હતો. - પેન નિર્બળ થયા પછી પોર્ટુગલને વારે આવ્યો. ચૌદમા સૈકાથી પોર્ટુગલ જોડે ઈલેન્ડને મિત્રાચારીને સંબંધ દ્વીપકલ્પીય વિગ્રહને લીધે ગાઢ બન્યો હતો. ફ્રાન્સના વિગ્રહ દરમિઆન પોર્ટુગલનું રાજકુટુંબ બ્રાઝિલના સંસ્થાનમાં જઈ વસ્યું હતું. ઈ. સ. ૧૮૨૧માં યેષ્ઠ પુત્ર ડન પેને સંસ્થાનમાં રાખી રાજા જ્હોન સ્વદેશ પાછો આવ્યો હતો. ઈ. સ. ૧૮૨૬માં પિતાના મૃત્યુ પછી પેએ બ્રાઝિલનું રાજ્ય લીધું, અને પોર્ટુગલનું રાજ્ય