________________
ચોએ એકત્ર થઈ યુરેપને ભયંકર નાશમાંથી બચાવ્યો છે, તે રાજ્યો એક દીલથી કામ લે તે પછી કેને ભાર છે? આથી તેણે ગ્રેટબ્રિકન, રસિઆ, ઍઆિ , અને પૃશિઆ વચ્ચે એક સંધિ કરાવી વિનાની પરિષ૬ માસે તેને સ્વીકાર કરાવ્યો. પેરિસની સંધિની સરતે સ્વીકારવા, તેને યોગ્ય -અમલ થતે જેવા, અને સામાન્ય હિતના પ્રશ્નો સંબંધી વિચાર કરવા વારંવાર મળવાની તેમણે કબુલાત આપી.
પરંતુ કેસલરીધના મનોરથ મનમાં રહ્યા. એ સમયે યુરોપના રાજદ્વારી મામલામાં રશિઆનો શહેનશાહ એલેકઝાંડર અને આિને પ્રધાન મેટરનીશ એ બે પ્રવીણ ગણાતા હતા, અને યુરોપનાં બીજાં રાજ્ય તેમને પગલે ચાલતાં હતાં. દરમિઆન રશિઆ, મુશિઆ, અને ઐસ્ટિઆના શહેનશાહએ “પવિત્ર સંધિ (Holy Alliance) કરી, અને ભીડ પડે ત્યારે સહાય આપવાનું વચન આપ્યું. તેમણે લોકોની રાષ્ટ્રભાવના અને સ્વતંત્રતાની આતુરતા યુક્તિથી દબાવી દઈ આપઅખત્યાર, બીનજવાબદાર અને એકહથ્થુ રાજસત્તા સ્થાપવાની પેરવી કરી. ખ્રિસ્તી ધર્મને નામે મેટરનીશે દમનનીતિનો દર ચલાવ્યું, અને કેની રાષ્ટ્રભાવનાઓ છંદી નાખી. આથી સ્પેન, પોર્ટુગલ, અને નેપલ્સની પ્રજાઓએ પોતાના રાજાઓની સામે ખુલ્લું બંડ કર્યું, અને મર્યાદિત રાજસત્તાવાળા બંધારણપૂર્વકને રાજ્યવહીવટ ચલાવવાની માગણી કરી. મેટરનીશે પરિષદને વચ્ચે પડવાને આગ્રહ કર્યો, એટલે રશિઆ અને પ્રશિઆનાં રાજ્ય તેમ કરવા તૈયાર થઈ ગયાં. પરંતુ કેસલરીધે કોઈ પણ સ્વતંત્ર રાજયના આંતર વહીવટમાં વચ્ચે પડવાની ના પાડી.
એટલામાં મેકિસકે, પરૂ, ચિલી, અને કલંબિઆએ પેનની ધુંસરી ફેકી દઈ સ્વતંત્રતા જાહેર કરી, અને ગ્રીસે પણ તુર્કસ્તાનના પંજામાંથી છૂટવાનો પ્રયાસ આદર્યો. બીજાં રાજ્ય પિતાનું ધાર્યું ગયાં. નેપલ્સનું બંડ શિમાવી દેવા માટે ઐસ્ટ્રિઅન સૈન્ય મેકલવામાં આવ્યું, અને સ્વતંત્રતાને પિકાર ઉઠ્ઠવનાર ફેન્ચ સૈનિકોએ સ્પેનની પ્રજાકીય હીલચાલને જોરજુલમથી બેસાડી દીધી. કેસલરીધે ઔસ્ટિઆ અને ફ્રાન્સના જુલમી કૃત્ય પ્રત્યે વિરેાધ જાહેર કર્યો.