________________
રસેલ જેવા આગેવાન દેશભક્તના શબને ઘેરીને લેકે આંસુ સારતા વહતા, એટલામાં ઍકસફર્ડની વિદ્યાપીઠે ફરમાન કાઢયું, કે કોઈથી રાજાની આજ્ઞા કદાપિ ઉથાપી શકાય નહિ; હવે રાજાને જોઈતું મળ્યું. તેણે રાજદ્રોહના કાયદાના બંધ છુટા મૂકી દીધા. નજીવા વાંકે ધનવાન વેપારીઓના ભારે દંડ થવા લાગ્યા, અને ગરીબો હેડમાં પુરાવા લાગ્યા. આ પ્રમાણે ટુઅર્ટ રાજાએના ઈશ્વરી હકના સિદ્ધાંત વિરુદ્ધ આંગળી ઉંચી કરનારના હાલહવાલ કરી રાજાએ વિરોધી ચળવળને દબાવી દીધી; તેની એકહથ્થુ અને આપખુદ -સત્તા ઉપર અંકુશ રહ્યો નહિ.
છેવટે રાજાએ કસોટીનો કાયદો રદ કર્યો. અને પોતાનો ભાઈ ઓંટલેન્ડમાં બળવાખોરોને દબાવવામાં રોકાયે હતો, તેને ત્યાંથી પાછા બોલાવી નૌકાસૈન્યનો ઉપરી બનાવ્યું. આમ તેણે પિતાની આપખુદી ઉપર કળશ ચડાવ્યો. - છેલ્લા દિવસે. છેવટ સુધી ચાર્લ્સ પાર્લમેન્ટ બેલાવી નહિ. લૈર્ડ હાલિફાકસ હવે હિગ મટી ટેરી થયો હતો. તેણે રાજાને પાર્લમેન્ટ બોલાવવાની સલાહ આપી. વિહગ લેકે કચરાઈ ગયા હતા, અને રાજપક્ષની હવે બહુમતી હતી; પણ પાર્ટમેન્ટ ન બોલાવવાનું વાસ્તવિક કારણ એ હતું, કે પાર્લમેન્ટ કદાચ વિફરી બેસે, અને ફ્રાન્સ વિરુદ્ધ વિગ્રહ જાહેર કરે; એટલે ચાર્લ્સ પાર્લમેન્ટ ન બોલાવે, તે તેને જોઈએ તેટલાં નાણાં આપવા તે કબુલ થયો. થોડા સમયમાં રાજા માંદો પડશે. તેનું શરીર ખવાઈ ગયું હતું. તેને ચકરી આવવી શરૂ થઈ અને તે પથારીવશ થયે. અંત સમયે તેણે કેથલિક વિધિને સ્વીકાર કર્યો. એક કેથલિક પાદરીને ગુપ્ત વેશે લાવવામાં આવ્યો, અને તેણે રાજાને છેલ્લા સંસ્કાર કર્યા. પછી જે થોડો સમય રહ્યો, તેમાં પણ તેને હસમુખો સ્વભાવ ન ગયો. દુઃખથી શરીરની નસો ખેંચાઈ જતી, ત્યારે પણ તેણે આસપાસ ઉભેલા લોકોને કહ્યું કે “મને મરતાં જરા વિલંબ થાય છે તેની ક્ષમા કરજે.” પછી પિતાની માનીતી નદીની સંભાળ રાખવાની પોતાના ભાઈને ભલામણ કરી. ઇ. સ. ૧૬ ૮૫ના ફેબ્રુઆરિની ૬ઠ્ઠી તારીખે ચાર્લ્સ મરણ પામ્યો.
ચાર્લ્સ નઠોર હૃદયને, અનાચારી, વિલાસી, લુચ્ચે, અને અપ્રમાણિક હતો, છતાં બુદ્ધિશાળી, ચાલાક, અને ચતુર હતો. તેનામાં ટયુડર રાજકર્તાઓ