________________
૧૮૯ જેવી થેડી શક્તિ હતી. આટલે પ્રજાવિદ્રોહ હોવા છતાં તેણે પોતાના મસ્તકને જલ્લાદની કુહાડીને સ્પર્શ થવા ન દીધો, એ તેની હોશિયારીનું પરિણામ છે. તેણે દેશની સ્વતંત્રતા વેચી દેશના દ્રવ્યને દુર્ણય કર્યો, છતાં અશાંતિમય કાળમાં પણ સમયસૂચક્તા, લુચ્ચાઈ, કુટિલતા, સખતાઈ અને મીઠી મશ્કરીને ઉપયોગ કરી પિતાના અમલના અંતમાં તે શાંતિ સ્થાપી શક્યો. તેની વિનંદપ્રિયતાએ તેને “આનંદી રાજા” એવું ઉપનામ અપાવ્યું છે.
ચાર્લ્સનું રાજ્ય જેટલું અગત્યનું છે, તેટલું એકદમ ન સમજાય તેવું છે; તેના અમલના ૧૫ વર્ષના પાંચ વિભાગ પાડી શકાય. ૧. ઈ. સ. ૧૬૬૦–૬૧: કામચલાઉ પાર્લમેન્ટે ધર્મ અને રાજપ્રકરણના પ્રશ્નોનો
નિર્ણય આણવાનો પ્રયત્ન કર્યો. પછી દરબારી પાર્લમેન્ટ આવી રાજસત્તા દૃઢ
કરવા માંડી, અને ઈતર પંથીઓને પજવવા માંડ્યા. ૨. ઈ. સ. ૧૬૬૨-૭૨: પાર્લમેન્ટનો રાજા ઉપરથી વિશ્વાસ ઊઠતે ગયો. રાજાએ
લુઈ જોડે સંબંધ બાંધે, અને પોતાની સ્વતંત્રતા વેચી. રાજભક્તિને આવેશ ઉતરવા લાગ્યો. દેશમાં બે પક્ષ રચાવા લાગ્યા. રાજાથી ધર્મ સંબધી મતભેદ
ધરાવનાર પાર્લમેન્ટને પક્ષ, અને રાજાની પરદેશી ખટપટને નાપસંદ કરનાર લો૫ક્ષ. ૩. ઈ. સ. ૧૬૭૨-૭૯: ઉપરના બે પક્ષ એકત્ર ન થઈ શક્યા, એટલે ચાર્લ્સ વારા
ફરતી એકને હાથમાં રાખી બીજની અવગણના કરવા માંડી. ૪. ઈ. સ. ૧૬૭૯–૮૧: હિગ પક્ષનો ઉદય, અને ઉત્તરાધિકારની તકરાર. સ્વાતંત્ર્યની
ભાવના સિદ્ધ કરવા તે પક્ષમાં જે અધમ માણસો ભળ્યા, તેમણે ખૂનામરકી.
કરવાની હદે જઈ પોતાના પક્ષને અસ્ત આણ્યો. ૫. ઈ. સ. ૧૬૮૧-૮૫: પાર્લમેન્ટથી સ્વતંત્ર બનેલો અને શત્રુઓના ભયથી મુક્ત
થયેલો નિરંકુશ ચાર્જ, શાંતિપ્રિય માણસે રાજપક્ષમાં જઈ મળ્યા.
૧. તેના મિત્રે તેની કબર પરના મૃત્યુલેખ માટે સૂચવેલી પંક્તિઓ:
“Here lies our sovereign Lord the king, Whose word no man relies on; Who never said a foolish thing, And never did a wise one."