________________
૧૯૭
રાજાની માગણી સ્વીંકાર્યા વિના પાછા ફર્યાં, ત્યાથી તેમને ક્વિંસ ઉતરતા થયેા. લકાને એમ લાગ્યું કે તેઓ હઠીલા અને ધર્મદ્વેષી હાઈ કેથેલિક પંથીઓને નાહક પજવે છે. લેાકેાને ભય લાગ્યા કે ફરીથી આંતર વિગ્રહ જાગશે કે શું ? તેના કરતાં ભલે કેથેલિક રાજા ગાદીએ આવે. હવે કેથેલિકને બદલે તેમને વ્હિગના ભય પેઠે. ન્યાયાધીશે એ અને પંચાએ લાગ જોઈ વ્હિગને દંડવા માંડયા, અને રાજાએ પણ પાત પ્રકાશ્યું. શેફટસ્કરીના ઉપર રાદ્રોહને આરેપ આવ્યા. લંડનવાસીએ હજી તેના પક્ષમાં હતા, તેથી પંચે તેની તપાસ ચલાવવા દીધી નહિ એટલે તે છૂટી ગયેા. પછી તે હાલેન્ડમાં જતા રહ્યો, અને ત્યાંજ મરણ પામ્યા.
તે સમયમાં ‘પંચ'ની નીમણુક શેરીફના હાથમાં હતી, એટલે તે ધારે તેવું પંચ માકલી શકતા. રાજાને આ પદ્ધતિ ખામીભરેલી લાગી. તે સમયમાં હિંગ લેાકાનું ભેર શહેરામાં, અને ટારીનું જોર ગામડાંમાં હતું. તેણે કાઈ પણ મિત્રે શહેરની સનંદ ખૂંચવી લઈ નવી સનંદ આપવા માંડી, અને તેમાં ટારી પક્ષની બહુમતી રહે એવી વ્યવસ્થા કરી.
જિંગ પક્ષની પડતી થવા લાગી, છતાં તેમાં બુદ્ધિના અંકુશ વિનાના અને ઉત્સાહના આવેશમાં તણાઈ મરનારા માણસો રહ્યા હતા. તેમણે ચાર્લ્સના મૃત્યુ પછી મન્મથને ગાદી આપવાની ખટપટ કરવા માંડી. તેજ સમયમાં કેટલાક અક્કલહીણાન્ડિંગ લેાકેાએ રાજાને અને તેના ભાઈ ને મારી નાખવાનું કાવતરૂં રચ્યું. તેમની યોજના એવી હતી, કે રાઈ. હાઉસ નામના રસ્તાની એક બાજુએ આવેલા ખેતર પાસે એક ગાડું ઊંધું વાળી રાખવું, અને ન્યૂમાર્કેટની સરતમાંથી રાજા અને તેના ભાઈ પાછા ફરે ત્યારે તેમની ગાડી થેાડેા વખત અટકી રહે તે દરમિઆન તેમને મારી નાખવા. પરંતુ સદ્ભાગ્યે વાત પ્રસિદ્ધ થઈ ગઈ. બંને કાવતરાંને એકજ ગણવામાં આવ્યાં, અને આગેવાનને પકડવામાં આવ્યા. આમાંના એક અમીરે કેદમાં આપઘાત કર્યાં. રસેલ અને સિડની જેવા ન્ડિંગ આગેવાના ઉપર કામ ચલાવી તેમને ફાંસીની શિક્ષા કરવામાં આવી; ખીજા અનેક લ્ડિંગ લેાકેાને સખત સજા ફરમાવવામાં આવી, અને મન્થમને દેશવટા દેવામાં આવ્યું.