________________
આમ બાતલ બિલ પસાર ન થયું, અને તેમાંનો એક અગત્યને મુદ્દો નિર્ણય થયા વગર રહી ગયો. પ્રજાને પોતાને સજા પસંદ કરવાને હક ખરે કે નહિ ? પ્રજાને અપ્રિય હેય, પ્રજા જેને સ્વીકારવા માગતી ન હોય, એવા એક માણસે માત્ર રાજકુટુંબમાં જન્મ લીધો હોય, એટલેથી તે રાજા થઈ શકે કે નહિ ? હુઅર્ટ રાજાઓના પ્રાણથીએ પ્રિય એવા ઈશ્વરી હક વિરુદ્ધને આ પડકાર હતો, અને ખરડો પસાર થયું હોત તો જે નિર્ણય પાછળથી થયો તે પહેલેથી થઈ જાત; પણ હિગ લેકોએ ભૂલ કરી. ર્ક નહિ તે બીજું કઈ ગાદીએ તે આવેજ ને ? શેફટમ્બરીએ ચાર્સના અનૌરસ પુત્ર ડયૂક ઑવ મન્મથને પક્ષ લીધે. તેના અનુયાયીઓએ એવી વાત ચલાવી, કે ચાર્લ્સ મન્મથની માતા સાથે વિધિપુર:સર લગ્ન કર્યા હતાં. મન્મથ દેખાવડો, શુરવીર, અને લોકપ્રિય હતું, છતાં એ કલંકિત કુમાર ગાદીએ આવે એ ઘણું વિહગ લોકોને અણગમતી વાત હતી. આથી તેમનામાં પક્ષ પડ્યા. એક પક્ષ એમ માનો કે યોર્ક નહિ પણ યોર્કની પ્રેટેસ્ટન્ટ પુત્રી ગાદીએ આવે એ ગ્ય છે. લૈર્ડ હોલિફાકસ નામના પ્રભાવશાળી વક્તાએ આ દલીલ લાવીને અમીરોની સભાને મેળવી લઈ ખરડો નામંજુર કરાવ્યું, અને છેલ્લી પાર્લામેન્ટમાં રાજા પણ આ પાસો નાખી ફાવી ગયો.
ટેરી પક્ષનું પ્રાબલ્ય અને પાર્લમેન્ટ વિનાનું રાજ્યઃ ઇ. સ. ૧૬૮૧. પછી રાજાએ પાર્લમેન્ટ બોલાવી નહિ. તેની પાસે અઢળક નાણું હતું, એટલે તેને પાર્લમેન્ટની તમા ન હતી. ધીમે ધીમે દેશમાં તેને પક્ષ મજબુત થવા લાગ્યો. છેલ્લી પાર્લામેન્ટમાં હિગ લેક હથિયારબંધ આવ્યા, અને રાજા કળે નહિ સમજે તે બળાત્કારે સમજાવવા તૈયાર હતા. તેઓ
૧. ઍટલેન્ડના લોકોને કેથલિક રાજ ગાદીએ આવે એ વાત જેટલી અણગમતી હતી, તેટલી આયર્લેન્ડના લોકોને ગમતી હતી. સભાબંધીના કાયદાથી કેંટ લોકે ત્રાહિ ત્રાહિ પિકારી ગયા. કેટલાક સખત કાયદા અમલમાં આવતાં લોકે દુઃખના માર્યા ગાંડા થઈ ગયા. તેઓ સંયમ ખાઈ બેઠા, અને ધર્માધ્યક્ષ શાર્પની હત્યા કરી બેઠા. બળ થયા એટલે શેફટબરીની પ્રેરણુથી મન્મથ તે શમાવવા ગયા. ત્યાં બેથલબ્રિજની લડાઈમાં વિદ્રોહીઓને તેણે હરાવ્યા. પરિણામે કેટલાકને ફાંસી દેવામાં આવી, અને કેટલાકને દેશપાર કરવામાં આવ્યા