SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતિયખંડ ઉપરનું કાવ્ય સાંભળી બાપુશ્રી ખુબ ખુશ થતાં, કવિશ્રાને કિંમતી પોશાક આપે હતો. રાજર્ષિ ઠાકરશ્રી અભયસિંહજીએ રાજ્યતંત્ર ચલાવતાં ધર્મ કાર્યો કર્યા હતાં. તે જનક વિદેહી જેવા રાજર્ષિને ધ્યાનમાં ( પુજામાં ) બેસવાની એારડી લેધીકાના સ્વામિનારાયણના મંદિરને બીજે મજલે હાલ મોજુદ છે. તેમાં જનાર વ્યક્તિને અત્યારે પણ શાંતિ ઉત્પન્ન થાય છે. એ અક્ષર ઓરડીના દર્શન કરવા સ્વામિનારાયણ સંપ્રદાયના સેંકડે સાધુ હરિજને હાલ પણ લેધીકે આવે છે. અને એ ભક્તરાજ રાજવિના ગુણાનુવાદ એ સંપ્રદાયમાં કથા રૂપે આજે પણ ગવાય છે. એ જનક વિદેહી સમા રાજવિને ફોટો અહિં આપવામાં આવ્યો છે જે જોતાંજ તેઓને અસલી ક્ષત્રિય જાતિને પહેરવેશ તથા ભવ્ય લલાટ પ્રદેશમાં ઉર્વ પંડ તિલક જમણા હાથમાં માળા ભેઠમાં કટારી, અને મેળામાં તલવાર જેનારના હદયમાં કોઈ અજબ છાપ પાડે તેવા છે. સાધુ થઈને અમારી પાસે આવવું એવા કાગળ વાંચીને તેઓ સાધુ થઈ ભુજમાં સ્વામિનારાયણ પાસે ગયા, ફકત બે જણા થઈ શક્યા નહિં. તેઓનાં દાંત દેવાય છે કે, જે સમજણમાં કચાશ હોય તે શેઠ મુળજીભાઈની પેઠે સંસાર છોડાય નહિં. પછી તેઓને ડાદિવસ સાધુ રાખીને સ્વામિનારાયણે ઘણો આગ્રહ કરીને પાછા પિતાને ઘેર મોકલ્યા, પણ આખા દેશમાં એવી બુમ પડી કે “સ્વામિનારાયણ લેકેને ગાંડા કરી નાખે છે. લેકીને એવી તે ખાત્રી થઈ કે, માણસથી થઈ શકે નહિં એવાં કામ સ્વામિનારાયણ કરે છે, તેથી પ્રતિપક્ષીઓ એમ પણ કહેવા લાગ્યા કે સ્વામિનારાયણે બાબરે ભૂત વશ કરે છે, તેથી લેકને ભમાવી શકે છે. વળી જે જે મતના લોકોને સ્વામિનારાયણે પિતાના કરી લીધા છે તે મત્તના ધર્મગુરૂઓએ સ્વામિનારાયણ ઊપર ઘણું ઝેર વેર રાખવા માંડયું અને એવાં ગપાં ચલાવવા લાગ્યા કે રવામિનારાયણના સાધુને જ્યારે.. અંતકાળ આવે છે, ત્યારે કુવામાં નાખી દે છે. આ વાત સમજુ માણસ તે માને નહિં; કારણ કે એમ કરે તે કુ ગંઘાઈ ઉઠે. બેટાદના તથા બીજા કેડલાએક વિશાશ્રીમાળી ઢુંઢીઆ વાણીઆને સ્વામિનારાયણે પિતાના શિષ્ય કરી લીધા. તેથી શ્રાવકે પણ ઝેર રાખવા લાગ્યા. કારણ કે અસલથી એક કહેવત ચાલતી આવે છે કે, “વિશાશ્રીમાળી કોઈ વૈષ્ણવ હોય નહિ” તેથી દરેક પંચના ગુરૂઓ પિતાના શિષ્ય રાજા હોય કે પ્રજા હોય તેઓને ઉશ્કેરવા લાગ્યા. તેથી સ્વામિનારાયણ જ્યાં જાય, ત્યાં ગામમાં પેસવા દે નહિ, લોકે ભેળા થઈને ધુળની ફાંટ નાખે, પથરી નાખે અને તિરસ્કાર કરે તે બધું તેઓ ગંભીરતાથી સહન કરતા હતા. વેરાગીઓએ સ્વામિનારાયણના સાધુને વાટે લુંટવા માંડયા, કંઠીઓ તોડવા માંડી અને શાલિગ્રામ કે લાલજી હોય તેમને લઈ લેવા માંડયા, કે તમે અમારા દેવને શા સારૂ પુજો છો? એ વખતે કેાઈ રાજાઓએ તે સાધુનું રક્ષણ કર્યું નહિં. ત્યારે સ્વામિનારાયણે પિતાના સાધુઓને કહ્યું કે, “તમારું રક્ષણ કરનારૂં ન્યાયી રાજ્ય ગુજરાતમાં થાય નહિં, ત્યાં સુધી તીલક કંઠી, કે લાલજીની પુજા રાખવી નહિં. અલરી પહેરીને પરમહંશનો વેશ રાખો. ઘેર ઘેર જઈ રાઘેલા અન્નના ટુકડા માગીને નદી કે તળાવ ઉપર જઈ, તે અન્નમાં પાણી છાટીને તેના ગેળા વાળીને એક હાથમાં મુકીને બીજે હાથે ખાવું. ત્યારે તે સાધુઓએ તેમ કર્યું.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy