________________
પ્રકરણ:
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ સાત ગૃહસ્થ શેઠ ઘેલાભાઈ, શેઠ ગુલાબદાસ, શેઠ ભૂખણદાસ, ડાહ્યાભાઈ દામોદરદાસ, ચુનીલાલ અને સોની ચુનીલાલ અને ગં. સ્વ. ઈચ્છાબહેન ઉપર એવી જ ખાલસા નોટિસો કાઢવામાં આવી. આથી જરાય ડગ્યા વિના શેઠ વીરચંદે મહાલકરીને એક વીર કાગળ લખ્યો જેમાં તેણે જણાવ્યું
આવી નેટિસ આપવાને આપ સાહેબે આખા મહાલમાં મને પ્રથમ પસંદ કર્યો તે ઉપરથી એમ માનવાને કારણું રહે છે કે આખા મહાલની અંદર મને આપ એક જ નબળામાં નબળા સમજે છે. આવું માનવાને મેં આપને શું કારણ આપ્યું હશે એ મારા ખ્યાલમાં આવતું નથી. પરંતુ મારે આપને જણાવવું જોઈએ કે આખો તાલુકે ખાલસા થાય તેપણ જે અન્યાયી વધારે કરવામાં આવ્યું છે તે રદ ન થાય અથવા તો તેની યંગ્ય તપાસ ફરીથી ન થાય ત્યાં સુધી તાલુકામાં હવે કઈ પૈસા ભરનાર નથી અને હું પણ ભરવાનો નથી.
આપ જે સરકારના સાચા વફાદાર ને કરે તે આપનો ધર્મ છે કે તાલુકાની ખરી સ્થિતિથી આપે સરકારને વાકેફ કરવી જોઈએ, અને પ્રજાને જે અન્યાય થયો છે તે દૂર કરાવી ન્યાય મેળવવામાં પ્રજાને મદદ કરવી જોઈએ. જે તાલુકાનું કેટલાંયે વરસ સુધી આપે લૂણ ખાધેલું છે તે તાલુકાની પ્રજા ઉપર નોકરીની આખર વેળાએ આપને પ્રજાને રંજાડવાને પ્રસંગ આવી પડ્યો છે તેમાંથી આપે કોઈ પણ રીતે ઊગરી. જવું જોઈએ એવી મારી આપને નમ્ર વિનંતિ છે.
ચાકરીની આખર વખતે ખાતેદારની જમીન ખાલસા કરવાની. આપને સત્તા આપવામાં આવી હોય અને તે પ્રમાણે જે આપે આ નેટિસમાં સહી કરી તે મારે બારણે ચડાવી હોય અને હવે પછી ખેડૂતોની જમીન ખાલસા કરવાનું કામ આપને હાથે થવાનું હોય તો એવી નોકરીમાંથી છૂટી જવું એ શોભાભરેલું છે. આપની નોકરીના ટૂંક દિવસ બાકી રહેલા છે ' અને એટલી રજા આપની સરકારમાં ચડી હશે. આપના હિતેચ્છુ તરીકે ” હું આપને સલાહ આપું છું કે આપના હાથની નોટિસે આપના તાલુકાની ચિતને મળે તે કરતાં આપ નોકરીમાંથી છૂટા થઈ જશે તો વળતી વેળાએ આબરૂ સચવાશે. ”
વાલોડના પિલા સાત સજજોએ શ્રી. વલ્લભભાઈને કાગળ લખીને ખાતરી આપીઃ “જે પ્રમાણે નોટિસ અને જમીના મારાની પહેલી શરૂઆત અમારા ગામ ઉપર કરવામાં આવેલી હતી, પરંતુ