SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું નાદીરશાહી” તેમાં જેમ સરકારને નિષ્ફળતા મળી છે તેમ આ ખાલસાની નોટિસની બાબતમાં પણ સરકારને નિષ્ફળતા જ મળશે એ વિષે - આપ નિશ્ચિંત રહેશે. સામાન્ય રીતે મહાલકરીની સાથે ઘણી. બેઠક અને ઘરબે રાખનારા શેઠ વીરચંદ ખાલસાની નોટિસથી ગભરાયા વિના કે મહાલકરીની સાથેની મહોબતથી અંજાયા વિના તેને સામી નોટિસ આપે એ વાત જ તાલુકાના લોકોને માટે અસાધારણ હતી. વાણિયાઓ પહેલા ગગડી જશે એવો ડર સરકારને જ હતો એમ નહિ, પણ લોકોમાંના ઘણા જણને હતો. એ ડર ખોટો પડ્યો એટલું જ નહિ પણ કણબીઓ અને બીજાઓમાં એકબીજા વચ્ચે વાતચીત થવા લાગી કે હવે વાણિયા. ખાલસાથી ન ડગ્યા એટલે આપણે ડગણું તે આપણે તો કાચલીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું જ થવાનું છે. તાલુકામાં આ ખાલસા નોટિસોની ચમત્કારિક અસર થઈ દેશમાં આ વસ્તુ “નાદીરશાહી' તરીકે પ્રગટ થઈ ગાંધીજીએ દેશને - આ “નાદીરશાહી' વિષે જાગૃત કરનારા લેખો “યંગ ઇન્ડિયા” અને “નવજીવન માં લખ્યા, અને પરિણામે બારડોલી સત્યાગ્રહને વિષે હજી કોઈ ઉદાસીન રહ્યા હતા તેમણે તે ઉદાસીનતા છેડી. ગાંધીજીનો નીચેનો લેખ બારડોલીનાં ગામેગામમાં વધાવી લેવામાં આવ્યો. લોકોએ તે વારંવાર વાંચ્યું : “જનરલ ડાયરને જ્યારે માજી હંટર કમિટિના એક સભ્ય જલિયાંવાલાની કતલ બાબત સૂચક પ્રશ્ન પૂછે, “તમારે વિચાર નાદીરશાહી ચલાવી લોકોના મનમાં સરકારનો આબ પેદા કરવાનો હતો?' ત્યારે તેણે તે સૂચનાને ઉત્સાહપૂર્વક સ્વીકાર કરી, “હા” કહી હતી. પણ નાદીરશાહીને આરંભ કંઈ જનરલ ડાયરથી નહાતા થયે. એ તે હિંદી નોકરશાહીને પરંપરાનો વારો ને ઈજારે છે. પણ આ નાદીરશાહીને જનરલ ડાયરે પ્રખ્યાતિ આપી એમ કહી શકાય. તેથી આપણે તેને ડાયરશાહીને નામે પણ ઓળખીએ છીએ. ડાયરશાહીની નીતિ ઉપર નોકરશાહીની હસ્તી નિર્ભર છે તેથી પ્રસંગ આવ્યે નોકરશાહી તેને આશ્રય લેતાં ચૂકતી નથી. તેને મન બારડોલીમાં આ પ્રસંગ આવી પહોંચ્યું જણાય છે. તેથી બીકણું ને પોચા ગણાતા વાણિયા સત્યાગ્રહીઓની ઉપર નાદીરશાહીનો આરંભ થયે છે એમ કહેવાય. આઠ
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy