________________
આરસી ફેબ્રુઆરી આ ઉપરાંત ખીજી સમજ પાડવામાં આવ્યા પછી નીચલા ઠરાવ પરિષદ આગળ રજૂ થયાઃ
સત્યાગ્રહને ઠરાવ
૫ મુ
બારડોલી તાલુકાના ખાતેદારોની આ પરિષદ ઠરાવ કરે છે કે અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારી લેવાને જાહેર કર્યા છે તે અયેાગ્ય, અન્યાયી અને જુલસી છે એમ અમારું માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તેા નિષ્પક્ષ પંચ મારફતે આ આંકણી ફરી તપાસવા તૈયાર ન થાય ત્યાં સુધી સરકારને મહેસૂલ મુદ્દલ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જસી, ખાલસા વગેરે જે કંઈ ઉપાયે લે તેથી પડતાં સઘળાં ટો શાંતિથી સહન કરવાં.
જો ધારાવિનાના ચાલુ મહેલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તા તેટલું મહેસૂલ નિતકરારે તુરત ભરી દેવું.
આ ઠરાવ રજૂ કરનારા અને તેને ટેકા આપનારા ૧૨ ગામેાના સારા સારા પ્રતિષ્ટિત ખેડૂતા હતા. એમાં અનાવલા, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ બધી કામેાના માણસા આવી જતા હતા. એત્રણુ જણાએ ટૂંકાંટથ ભાષણા કર્યા અને બાકીનાએ ઊભા થઈને ટંકા જાહેર કર્યા.
આ ગંભીર ઠરાવ ખુદ્દાના પાક નામ વિના અને રામધૂન વિના પસાર ન થાય., એટલે ઇમામસાહેબે કુરાને શરીમાંથી આયત સંભળાવી, અને નીચેનું ખીરનું સંગ્રામગીત આખી પરિષદ ઝીલે એવી રીતે સભળાવવામાં આવ્યુ અને રામધૂન ચાલીઃ
શૂર સ'ગ્રામ કે। દેખ ભાગે નહિ,
દેખ ભાગે સાઉ શૂર નાહી’—-શૂર૦ કામ ઔર ક્રોધ મદ લેાભસે ઝૂઝના,
મડા ધમસાણ તંહ ખેત માંહી શાલ ઔર શૌચ સતાષ સાથી ભયે,
નામ શમશેર તહ ખૂબ માજે, કંહત કખીર કાઉ ઝુઝ હૈ રમા,
કાયરાં ભેઢ તહ તુરત ભાજે શૂર
૨૦