________________
તંત્રરચના પાણમાં પેઠા પછી હવે તરવા શીખે જ 2 છે, નહિ તે તળિયે જઈશું.” ગામ સંગ્રામ તો મંડાયા, પણ પછી? સ્થિતિ તે
સામાન્ય માણસને મૂંઝવે એવી હતી. લેકની મનેદશામાં તત્કાળ પલટો કરવાની જરૂર હતી. આજ સુધી લોકોને એવું વિચારવાની તાલીમ મળી હતી કે વધારા જેટલી રકમ ન ભરવી; જે જે ભાષણે થયાં હતાં તેમાં, ધારાસભાના સભ્યો તરફથી જે સલાહ મળી હતી તેમાં, એ જ વાત કરવામાં આવી હતી, અને એ વાત મોટા ખાતેદારો ફરી ફરીને સંભળાવતા હતા. બારમી પહેલાં જ નબળાપાતળા જે આવતાં તોફાન સામે ટક્કર ઝીલી શકે એવા નહોતા તે મહેસુલ ભરી ચૂક્યા હતા, અને બારમીના ઠરાવ છતાં પણ કેટલાક તો બારી શોધતા હતા. કેટલાક રાહ. જોઈને બેઠા હતાઃ “જોઈએ છીએ, એકાદ મહિનામાં તો ખબર પડી જશે કે લડત કેવી ચાલે છે, પછી આપણે પણ ઠરાવ કરશું.” આ બધાની પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી. - આખા તાલુકાની અનેક કોમ વચ્ચે પણ મેળ સાધવાનો હતો. પાટીદારોમાં તો નાતનાં બંધારણ હતાં, પણ તે બંધારણને લડતને માટે ઉપયોગમાં લેવાનાં હતાં. નાતના ઘરડાઓ લડતથી જ ડરતા હોય તો તેઓ બંધારણનો લડતને માટે ઉપયોગ કરવા દે ખરા ? રાનીપરજ બિચારા ગરીબ ગાય જેવા – તેમના ઉપર જે સરકાર પહેલો જ હુમલો કરે તો તો તેઓ જ ચુરાઈ જાય. વાણિયાઓ પાસે તો સેંકડે એકર જમીન પડેલી – એ જમીન ખાલસા થાય ત્યાં સુધી તેઓ ટકી રહે ખરા ? ઘણું તે સરકારદરબારે જનારા, સરકારી અમલદારેથી શરમાઈને કામ કરનારા રહ્યા. આ લોકોની પાસે રાનીપરજ લોકોની ઘણી જમીન રહેલી; રાનીપરજના તરફથી જ એ લેકે મહેસૂલ ભરી દે તે પેલા બિચારા શું કરે? અનાવલા બ્રાહ્મણનાં ચેડાં ગામે તે બધાં લડતમાં જોડાયાં નહોતાં. એ નાતને
४४