SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ આમ લડતનાં જોખમે પૂરાં વિચારજો. એમાં જેટલાં મોટાં જોખમ છે તેટલાં જ મોટાં પરિણામો સમાયેલાં છે એ યાદ રાખજે. કામ જેટલું મુશ્કેલ છે તેટલું જ મહત્વનું છે. જરા સખ્તાઈ થતાં જ જે તમે આમાંથી. ખડી જવાના છે તે તેમાં તમને એકલાને જ નહિ પણ ગુજરાતને ને આખા હિંદુસ્તાનને નુકસાન પહોંચવાનું છે. માટે જે નિશ્ચય કરે તે ઈશ્વરને હાજર સમજીને પાકે પાયે કરજો કે પાછળથી કઈ તમારા તરફ આંગળી ન ચીંધે. જે તમારા મનમાં એમ હોય કે મીણને હાકેમ પણ લેઢાના ચણા ચવડાવે ત્યાં આવડી મોટી સત્તા સામે તે આપણું શું ગજું, તે તમે આ વાત છેડી જ દેજે. પણ જો તમને લાગે કે આવા સવાલમાં તો લડવું જ ધર્મ છે, જે તમને લાગે કે જે રાજ્ય કઈ રીતે ઇન્સાફની વાત કરવા. તૈયાર નથી તેની સામે ન લડવું ને પૈસા ભરી દેવા તેમાં આપણી ને આપણાં બાળબચ્ચાંની બરબાદી જ થાય છે, એટલું જ નહિ પણ આપણું સ્વમાન પણ જાય છે, તો તમે આ લડત માથે લેજે. • - આ કંઈ લાખ સવાલાખના વધારાને કે ૩૦ વરસના સાડતીસ લાખને સવાલ નથી, પણ સાચજૂઠને સવાલ છે, સ્વમાનને સવાલ છે. આ સરકારમાં હમેશને માટે ખેડૂતનું કોઈ સાંભળનાર જ નહિ એ પ્રથાની સામે આમાં થવાનું છે. રાજ્ય આખાની મદાર ખેડૂત પર છે. રાજ્યતંત્ર બધું ખેડૂત પર ચાલે છે. છતાં તેનું કોઈ સાંભળતું જ નથી, તેને કોઈ દાદ દેતું. નથી. તમે કહો તે બધું બેટું જ. આ સ્થિતિ સામે થવું એ તમારે ધર્મ છે, અને તે એવી રીતે સામા થવું કે જેથી ઈશ્વરને ત્યાં જવાબ દેવો પડે તે દિવસે તમને ભારે ન પડે. મિજાજ કાબુમાં રાખીને, સાચ ઉપર અડગ રહીને, સંયમ પાળીને, સરકાર સામા ઝઝવાનું છે. જપ્તી અમલદારે આવશે, તમને ખૂબ સતાવશે, ઉશ્કેરણીનાં કારણે આપશે, ગમે તેવી ભાષા વાપરશે, તમારી સતાવણી કરશે, અને જેટલી જેટલી તમારી નબળાઈએ તેમના જેવામાં આવશે તેટલી મારફતે તમારા ઉપર હુમલા કરવા મથશે છતાં મુખ્ય વસ્તુ ઉપરથી તમે ન ડગશે, અહિંસાની પ્રતિજ્ઞા ઉપરથી ન ચળશો. શાંતિથી ને સંયમથી દઢ રહેજે કે અમારે હાથે કરીને સરકારને પાઈ પણ નથી આપવી, જોઈએ તો જપ્તીઓ કરે, ખાલસા કરે, ખેતર પર જાઓ, હરાજીએ બોલાવો, જે કંઈ કરવું હોય તે જબરદસ્તીથી કરે, મરજિયાત કંઈ નહિ કરાવી શકે; અમારે હાથે તમને કશું નહિ મળે. એ જ આ લડતને મૂળ પાયો છે. આટલું જે તમે કરી શકે તો ધાર્યું પરિણામ આવે જ એ વિષે મને કંઈ શંકા નથી. કારણ તમારી લડત સાચ ઉપર મંડાયેલી છે.” . ૪૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy