________________
બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ કહેવાય. ચાર પાંચ વર્ષ થયાં તેઓ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. સરકારી અમલદારોએ તેમના કાર્યમાં મુક્તકંઠે વખાણ કર્યા હતાં. આમાંના કેટલાકની સાથે તો તેમને મીઠી મૈત્રીને સંબંધ થયો હતો. એ મૈત્રી પ્રલયસંકટનિવારણના કાર્ય દરમ્યાન ઓછી નહોતી થઈ પણ વધી હતી. સરકારી અમલદારોની સાથે તેમણે આ કાર્યમાં સહકાર કર્યો હતો, પિતાની અજબ વ્યવસ્થાશક્તિની તેમણે અમલદારો ઉપર ખૂબ છાપ પાડી હતી, અને જિલ્લાના કલેકટરે તો એકવાર તેમને પૂછેલું પણ ખરું કે આટલા સારા કામ માટે તેમને અને તેમના સાથીઓને સરકાર કાંઈ માન એનાયત કરે એવી ભલામણ પિતે કરે છે તેમાં શ્રી. વલ્લભભાઈને કશો વાંધે છે ?
આવી આવી મૂંઝવણ છતાં બારડોલીના ખેડૂતોનું દુઃખ તેમને વસી ગયું હતું એટલે તેમણે બારડોલી જવાનો નિશ્ચય કર્યો. હજી ખેડૂતોની નાડ તપાસવાને કંઈક અવકાશ તો હતો જ. ૫ મી ફેબ્રુઆરીએ સરકારનો પહેલો હપ્તો લહેણ થાય, ૪ થી પહેલાં તો બારડોલી પહોંચવું તેમને અશકય હતું. ૪થીએ તમામ ખેડૂતોની એક પરિષદ તેમના પ્રમુખપણ નીચે બારડોલીમાં બોલાવવી એવો નિશ્ચય થયો. એ પ્રમાણે બારડોલીમાં પરિષદ મળી. આ પરિષદમાં ધારાસભાના ત્રણ સભ્યો –રાવ બહાદુર ભીમભાઈ નાયક, રા.સા. દાદુભાઈ દેસાઈ અને શ્રી. દીક્ષિત –પણ પધાર્યા હતા. તેઓ તે પોતાની રીતે જેટલું થાય તેટલું કરી ચૂક્યા હતા. “હવે બાજી અમારા હાથમાં નથી, એમ કહીને તેમણે હાથ ધોઈ નાંખ્યા હતા, અને વલ્લભભાઈ જેવા સત્યાગ્રહી લડત લડનારા સરદાર પાસે જવાની તેમણે લોકોને ભલામણ કરી હતી. શ્રી. વલ્લભભાઈએ પ્રથમ તે કામ કરનારાઓને તપાસ્યા, જોયું કે તેમને સત્યાગ્રહ કરવાની ચળ નહોતી, તેઓ તો હજાર વાતને વિચાર કરીને પગલું ભરવા માગતા હતા. કેટલાકને લડત ચલાવવાની લોકેની શકિત વિષે સ્પષ્ટ અશ્રદ્ધા હતી. આ પછી શ્રી. વલ્લભભાઈ એ ગામોના પ્રતિનિધિઓને બોલાવ્યા. ૭૯ ગામોના માણસે આવ્યા હતા, અને તાલુકાની ખેતી કરનારી બધી કે એમાં આવી જતી હતી. બધા કાંઈક
૬૪