SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ બારમી ફેબ્રુઆરી કલ્યાણજી: હા; નરહરિભાઈએ પિતાના લેખમાં એ અન્યાયની વાત તે જાહેર આગળ મૂકેલી જ છે. ગાંધીજી: નરહરિન લેખ વાંચેલા યાદ છે, પણ આ વધારાની સામેની દલીલો તેમાં વાંચેલી યાદ નથી. ગમે તેમ હોય, એટલું યાદ રાખવાનું છે કે લોકલાગણી આપણી સાથે હોવી જ જોઈએ, અને તે માટે અન્યાય ચેખો દેખાઈ આવવો જોઈએ. વળી એક બીજી વાત. લડવાને તૈયાર તે થયા છે, પણ સત્યાગ્રહના મુદ્દા સમજીને તૈયાર થયા છે? જો એ ન સમજ્યા હોય, અને વલ્લભભાઈના જોર ઉપર જ ઊભા થયા હશે તે વલ્લભભાઈને અને તમને બધાને સરકાર ઉપાડી લે પછી તેઓ ટકી રહેશે ખરા? કલ્યાણજીઃ એટલા ઊંડા ઊતરીને અમે તપાસ નથી કરી. ગાંધીજીઃ એ જાણવું રહ્યું; પણ વલ્લભભાઈ શું કહે છે? આ ચર્ચા ચાલતી હતી ત્યાં વલ્લભભાઈ રસ્તા ઉપર ભેળા થયા. વલ્લભભાઈએ જણાવ્યું કે પોતે કેસ તપાસી ગયા છે અને લડત વાજબી લાગે છે. વલ્લભભાઈએ નિશ્ચય કરી લીધો છે એમ લાગતાંની સાથે જ ગાંધીજી બોલ્યા: “ત્યારે તો મારે એટલું જ ઇચ્છવું રહ્યું કે વિજયી ગુજરાતનો જય હે.” પણ શ્રી. વલ્લભભાઈ એ નિશ્ચય કરી લીધું હતો શું? અને કર્યા હતા તે તેમ કરતાં તેમને કેટલી ગૂંચવણ પડી હશે ? નાગપુરબેરસદના વિજયી સેનાપતિને સત્યાગ્રહની વાત સાંભળી કે લડવાનું મન થઈ જાય એવું નહોતું, નાગપુર અગાઉ છેડા જ દિવસ પહેલાં જ્યારે તેઓ રંગૂન ગયા હતા તે દરમ્યાન તેમના કેટલાક સાથીઓએ સવિનય ભંગની વાત ઉપાડી હતી. તેમને ઠંડા પાડતાં તેઓ ચૂક્યા નહોતા. ૧૯૨૭ માં નાગપુરમાં સવિનય ભંગ શરૂ થયો હતો અને તેની આગેવાની લેવાનો ઘણા મિત્રોએ - આગ્રહ કર્યો હતે, એ બાબત મહાસભાના કાર્યવાહક મંડળે પણ કંઈક ઠરાવ કર્યો હતો, પણ તેમણે એ વાત ઉપાડવાની સાફ ના પાડેલી, કારણ તેમને એ લડત ઉપાડવાને કારણે પૂરતાં નહોતાં લાગેલાં. પ્રસ્તુત સમયે તે તેઓ છેક છૂટા હતા એમ પણ ન ૩૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy