SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ દરબારસાહેબ, મેહનલાલ પંડયા અને રવિશંકરને પણ તેઓ પોતાની મદદમાં લાવ્યા હતા. શ્રી. વલ્લભભાઈ સાથે વાતો થઈ, તેમની રીત મુજબ તેમણે પોતાની મેડી ઉપર આંટા મારતાં મારતાં કહ્યું, “ઠીક તમે જાઓ બાપુ પાસે. હું તમારી પાછળ • આવ્યો.” ‘બાપુ’ની સંમતિ વિના તો આવી લડત કેમ જ ઉપાડાય ? ગાંધીજીને કાને તે બધી વાતના ભણકારા એવી ચૂકેલા હતા. તેમણે અત્યારસુધી ઉત્તેજન નહોતું આપ્યું, “વલ્લભભાઈ કહે તે કરે, એવી જ વાત જે મળ્યા તેને કરી હતી. આ વેળા તેમની સાથે ઠીકઠીક વાતો થઈ. વિદ્યાપીઠમાં ગાંધીજીને ત્રણ વાગે જવાનું હતું. આ આગેવાનોને ગાંધીજીએ વિદ્યાપીઠ જતાં રસ્તામાં વાત કરવાનો સમય આપ્યો હતો. કલ્યાણજીભાઈ એ વાત માંડી, લકે નરમગરમ છે એમ જણાવ્યું, વધારે ન ભરવાને તે સૌ કોઈ રાજી છે એમ પણ ઉમેર્યું. ' ગાંધીજી : એટલે ? કલ્યાણજી : મહેસૂલમાં ૨૨ ટકા વધ્યા છે તો ૨૨ ટકા ભરવાના રાખી મૂળ મહેસૂલ ભરી દેવું એટલી વાત ઉપર લેકે તૈયાર છે. ગાંધીજી એ તે ભયાનક છે. તમારે જ પૈસે સરકાર તમારી સાથે લડી લેશે અને પૈસા વસૂલ લેશે. જે લડત માંડવી હોય તો તે એવી જ શરત કરીને મંડાય કે મૂળ મહેસૂલ ભરવાને તૈયાર છીએ પણ તમે વધારે રદ ન કરે ત્યાં સુધી એક પાઈ ન આપીએ. આ રીતે કરવાને લકે તૈયાર છે ? કલ્યાણજી : કસબાનાં ગામમાં કસ નથી, વાણિયા ભાઈઓને વસવસો છે, એવો ડર પણ રહે જ કે બધી જમીન ખાલસા કરી મૂળ માલિક રાનીપરજ લોકોને તે પાછી સોંપી દેવામાં આવે. બીજા લોકોમાંથી ઘણા પૂરું મહેસૂલ ન ભરવાને તૈયાર છે એમ અમને અમે જેટલાં ગામ ફર્યા તે ઉપરથી લાગ્યું. ગાંધીજી: વારું, લડવાને તૈયાર છે એમ કબૂલ કરીએ. પણ મહેસૂલનો પ્રશ્ન એમને સાચો છે કે ? સરકાર ન કબુલ કરે પણ દેશને સરકારને અન્યાય ગળે ઊતરશે કે ? ૩૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy