________________
- બારમી ફેબ્રુઆરી હવે ખેડૂતોને નવી દિશામાં વિચાર કરવાનું સૂઝયું. અત્યારસુધી સૂઝેલું નહોતું એમ નહિ, પણ ૧૯૨૧ પછીની દેશની પરિસ્થિતિએ કષ્ટસહનના કાર્યક્રમ વિષે તેમની શ્રદ્ધા મોળી પાડી નાંખી હતી અને સત્યાગ્રહના નામથી તેઓ ભડકતા. પણ ધારાસભાના સભ્યોએ તેમને સાફ કહી દીધું કે અમારાથી હવે કશું થાય એમ નથી અને હવે તે તમારે બીજું જે કંઈ કરવું હોય તે કરો. ભાઈ કલ્યાણજી અને કુંવરજી – જે બે ભાઈઓને ગાંધીજીની પાસે ૧૯૨૧માં સત્યાગ્રહના સ્થાન તરીકે બારડોલીને પસંદ કરાવવામાં મોટો હિસ્સો હતો તેઓ – તાલુકા સમિતિના મંત્રી ભાઈ ખુશાલભાઈ સાથે શ્રી. વલ્લભભાઈ પટેલ પાસે ગયા, અને તેમને બારડોલી આવી ખેડૂતો પાસે સત્યાગ્રહની લડત લડાવવાની વિનંતિ કરી. શ્રી. વલ્લભભાઈએ સાફ ના પડી, એમ કહીને કે રાવ બહાદુર ભીમભાઈ અને રાવ સાહેબ દાદુભાઈ જેવા નેતા તેમને દેરી રહ્યા છે ત્યાં તેમના કામમાં વચ્ચે પડવું એ પિતાને શોભે નહિ. આ પછી તેઓ પાછા ગયા, પણ આ વેળા તે ધારાસભાના એ સભ્યોની સલાહ અને સંમતિ મેળવીને ગયા. શ્રી. વલ્લભભાઈએ તેમને અંતિથી સાંભળ્યા, કંઈક આશા આપી અને કહ્યું, “તમે પાછા બારડોલી જાઓ, એકલો વધારો નહિ પણ આખું મહેસૂલ ન ભરવાને માટે ખેડૂતે તૈયાર હોય અને તેમ કરીને છેક ફના થવા તૈયાર હોય તો હું આવવા ખુશી છું. પણ તમે આખા તાલુકામાં ફરી વળે અને લોકો શું ધારે છે તે મને તમે ફરી પાછા આવીને જણાવો.”
આ વરતુ ૨૦ મી જાન્યુઆરીના અરસામાં બની. કાર્યકર્તાઓ પાસે માત્ર આદશ દિવસ બાકી હતા. એટલામાં શું થાય ? પણ તેમણે ન જાણ્યા દિવસ, ન જાણું રાત; તાલુકાના ઘણાખરા કાર્યકર્તાઓને ભેગા કર્યા, અને આખે તાલુકા ફરી વળવાનો કાર્યક્રમ ઘડી, ગાડાંમાં, મોટરબસમાં અને પગે ચાલી અનેક ગામો પદી નાંખ્યાં. આઠ દિવસમાં ઘણાંખરાં ગામોના લોકોનો અભિપ્રાય જાણી તેમણે પાછી અમદાવાદ કૂચ કરી. આ વખતની ટેળીમાં કલ્યાણજી, કુંવરજી, ખુશાલભાઈ કેશવભાઈ તે હતા જ; પણ ખેડા, નાગપુર અને બારસદમાં ખ્યાતિ પામેલા વીર યોદ્ધાઓ
૩૧