________________
બારમી ફેબ્રુઆરી “સાબરમતીના સંતે મેટી શક્તિ પેદા કરી છે. તેની પાછળ તમે - અમને ગાંડા કહે કે દીવાના કહો, પણ જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી આ ગાંડા ખેડૂતો માટે મરવા તૈયાર છે.” _રા રે આ સંજોગોમાં લોકોએ શું કરવું ? શ્રી. જ્યકરના
- રિપોર્ટ સામે તો તેમણે સને ૧૯૨૬ થી હિલચાલ ઉઠાવી હતી. તેમની તાલુકા સમિતિએ નિમેલી તપાસસમિતિએ એ રિપોર્ટની એકેએક દલીલના રદિયા. આયા હતા, અને વધારે વાજબી ઠરે કે ચાલું દર પણ વાજબી ગણાય એવા નફા ખેડૂતને થતા નથી એમ બતાવ્યું હતું. આ પછી સને ૧૯૨૭માં તેઓ તેમના ધારાસભાના પ્રતિનિધિઓને આગળ કરીને સરકારના મહેસૂલમંત્રી રેવન્યુ મેમ્બર–ની પાસે ડેપ્યુટેશન લઈ ગયા. આ પછી આ સભ્યોએ સરકારને મોટી અરજીઓ કરી, જેમાં - રિપોર્ટની દલીલોના જવાબ અને ખેડૂતોની ખરી સ્થિતિ આપવામાં આવી હતી. આ બધું છતાં ૧૯૨૭ના જુલાઈની ૧૯મી તારીખે સરકારે ૨૨ ટકા વધારે મંજૂર કર્યો, એટલે સપ્ટેમ્બર ૧૯૨૭માં તેમણે પરિષદ ભરી, જેમાં હજારો ખેડૂતોએ હાજરી આપી. આના પ્રમુખ રાવ સાહેબ દાદુભાઈ દેસાઈ એમ. એલ. સી. હતા. ખૂબ વિચાર અને ચર્ચા પછી તેમણે વધારાની રકમ ન ભરવાન ઠરાવ કર્યો. આ ઠરાવની પણ કશી અસર ન થઈ તલાટીઓને કીસના -હપ્તા નવા દર પ્રમાણે વસૂલ કરવાનો હુકમ થયા.