SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ , , લડત કેમ મઢી સારુ મૂકવામાં આવ્યાં હશે? ભાત તો લોકો ખાવાને માટે જ પકવે છે, અને ભાત વેચાય છે ત્યાં પણ તેના ભાવ ૧૯૧૪ના જેટલા જ છે. આફવા ગામમાં તો કચારીની જમીન સાથે તળાવની જમીન ઉપર એટલે જ દર ચડે છે, જોકે એ જમીન માત્ર પાણીને માટે જ રાખવામાં આવે છે. ૩. દેલવાડા, કમાલછોડ, એરગામ, સેજવાડ અને સિંગદ ગામમાં ગણોતને કશે આધાર જ નથી છતાં, અને ઉવામાં આજે જ સરકારધારે ગણતના ૭ ટકા છે છતાં; વધારે થાય છે તે અન્યાય છે. . . . ૪. પાંચમા વર્ગનાં બધાં જ ગામે. - ચોર્યાસીની પણ એ જ કથા છે. એ વિષે રા. બ. ભીમભાઈ જુદા કાગળ લખશે. ખરી વાત એ છે કે જરાયતમાં કશું જ વધારે કરવાને આધાર નથી અને ક્યારીના દરમાં જે ઘટાડો થયે છે તેથી વધારે ઘટાડો સ્થ જઈ તો હતો. પણ એ ન થાય તો સરકાર જૂના દર કાયમ રાખે. કારણું બંધાં જ, રિવિઝને ફરી તપાસવાં પડવાનાં અને નવો કાયદે થશે એટલે તે બધાં જ તાલુકાઓને લાગુ પાડવો પડશે. પણું એ થાય કે ન થાય, જે ગામને હડહડતો અન્યાય થયો છે તે તે દૂર થી જ જોઈએ. તમે ઇચ્છો કે આપણે મળવું જોઈએ તે હું મળવા તૈયાર છું. નવો કાયદે બારડેલીગેર્યાસીને કેમ લાગુ ન પડે? ઉપરના કાગળને તા. ૧૬મી સુધી જવાબ ન આવ્યું એટલે શ્રી. વલ્લભભાઈએ યાદ દેવડાવવા બીજો પત્ર લખે તેમાં ઉમેર્યું: - સરકારે શ્રી. શ્રોફને પત્ર લખે છે તેમાં સુધરેલી મહેસૂલનીતિને જે નિશ્ચય કર્યો છે તે માટે હું સરકારને ધન્યવાદ આપું છું. પણ ન કાયદે • બારડોલી અને ચોર્યાસીને કેમ લાગુ ન પડે તે હું સમજી શકતું નથી. જે એને અર્થ એ હોય કે ગમે તે કાયદે થાય તે પણ બારડેલી ચોર્યાસીમાં જે દર નક્કી થયા છે તેમાં વધારે તે થઈ જ ન શકે છે તે હું સરકારને ઠરાવ સમજી શકું છું. પણ જે સરકારને એ આશય હોય કે ન કાયદો થયા પછી જે રિવિઝન થાય તેથી બારડોલીચોર્યાસીને ફાયદો થત હેય તે પણ ન મળે તે તો મારે જણાવવું જોઈએ કે એ તાલુકાના લેટર ભારે અન્યાય થશે. આવું થાય એમ હું માનતો નથી, પણ સરકારની ભાષાને આ અર્થ પણ થઈ શકે છે એ મારે જણાવવું જોઈએ. હું તો મારા ૨૪મી જૂનના પત્રમાં જણાવી ચૂક છું: “નવા દરામાં જ અન્યાય સહેલો છે.” જોકે હવે અધીરા થયા છે. કૃપા કરીને તુરત જવાબ આપે અને મેં શંકા કરી છે તે દૂર કરે. ૩૭૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy