SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ શાલી સત્યાગ્રહનો ઇતિહાસ - મેરી બી ચૂ૫, તેરી બી ચુપ : - આ બંને પત્રનો જવાબ સર જે. એલ. રૂએ ૨૧ મી જુલાઈના પિતાના પત્રથી આપે, તેને સાર નીચે પ્રમાણે ૧. તમે જે અન્યાયના આરોપ મૂક્યા તેની તપાસ કરવામાં વખત ગયો એટલે જવાબ આપવામાં ઢીલ થઈ છે. તે ખાતર દિલગીર છું. . ૨. હું એ તપાસ પછી તમારા મત સાથે મળતો નથી થઈ શકતો તમે જે ગામોને હડહડતો અન્યાય થયાની વાત કરી છે તે તે ગામના ખેડૂતોને અન્યાય નથી થયે એમ કમિટીના રિપોર્ટમાં જણાવેલી હકીકતથી જણાય છે. ( ૩. કમિટિએ કેવળ ગણોત ઉપર દર કયાં નક્કી કર્યા છે? રિપોર્ટને મેટે ભાગ તે ગણતના આંકડા એકલા કેમ ન વાપરી શકાય એ બતાવવા માટે લખાયેલું છે. - ૪, તમને વધારાનાં કારણે અધૂરો લાગે છે; મને લાગે છે કે પુરવણીમાં આપેલા આંકડા અને કારણો એ વધારે ઠરાવવાને માટે પૂરતાં છે. એટલાથી તમને સંતોષ ન થાય તે બીજાં કારણે બતાવવાનું હું પ્રયોજન નથી જેતે. ૫. ઘાસ બહાર નથી મોકલવામાં આવતું તેથી ઘાસની કિંમત નથી. એમ તે ન જ કહેવાય. ઘાસની કિંમત તે ઘાસિયાનાં ગણતેમાં જ રહેલી છે. . છેવટે મારે એ વાત તમને જણાવવી જોઈએ કે કમિટીએ સરકારે મુળ ઠરાવેલા દરમાં ઘણે મે ઘટાડે સૂચવ્યું છતાં સરકારે જરાયે સંકેચા વિના, અને ઘટાડાનાં કારણો બબર છે કે નહિ તે વિષે કશું જણાવ્યા વિના, તે ઘટાડા પૂરેપૂરા સ્વીકાર્યા. તે ખેડૂતે પણ કમિટીએ કરેલી ભલામણું સ્વીકારે એમ સરકારે આશા ન રાખે? અને એમ સરકારને આખી તપાસ નવેસરથી કરવાનું શી રીતે પાલવે? જે ખેડૂતની દૃષ્ટિથી. એ તપાસ નવેસરથી કરવામાં આવે તે તો સરકારની દૃષ્ટિથી પણ એ નવેસરથી કરવી જોઈએ. સરકાર તે સત્યાગ્રહને જ સમજે * આને જવાબ શ્રી. વલ્લભભાઈએ તા. ૨જી ઓગસ્ટના પિતાના પત્રમાં આ : - મારે નવેસરથી તપાસ કરવી નથી. નવેસરથી તપાસ કરે તે રૈયતને કશે ગેરફાયદો થાય એમ તે નથી જ, પણ આ બાબતમાં એમ ફરીફરી. તપાસ ન થઈ શકે એ સમજું છું. મેં જે માગણી કરી હતી એ તો છે ३७४
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy