SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરાંત તાલુકાનાં ઘણાં ગામમાં ૧. ન વપરાતા કૂવા માટે સરકાર કર લે છે તે તપાસ આ દરમ્યાન બહાર આવ્યું અને તે રદ થવાની ભલામણ થઈ; ૨. કયારીના ઉપયોગને માટે ન આવતી જમીન જરાયત તરીકે દાખલ કરવામાં આવે એવી ભલામણુ થઈ એટલે એ જમીન જે ઘણાં વર્ષ થયાં બેવડે સરકારધારે ભરતી હતી તે અન્યાય દૂર થાય એવી ભલામણ થઈ; ૩. કેટલાંક ગામમાં “ભાઠાં' ની જમીન તરીકે ચાલતી અને “બાગાયત' તરીકે ચાલતી જમીન ઉપર બાવળ અને ઘાસ ઉગેલાં હતાં. તેવી જમીન “ભાઠાં” અને “બાગાયત' તરીકે ન ગણવામાં આવે એવી ભલામણ થઈ નિતિક પરિણામ: લોકોએ કરેલી બધી ફરિયાદ સાચી પડી અને લોકોના તેમજ તેમના પ્રતિનિધિઓની પ્રામ ણિકતા જગત આગળ સિદ્ધ થઈ તપાસને પરિણામે કેટલીક વાત સ્પષ્ટ રીતે બહાર આવીઃ ૧. સરકારના જવાબદાર અમલદાર જેને સરકારે પિતાના વલ્લભભાઈની સાથેના પત્રવ્યવહારમાં “રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર' તરીકે વર્ણવ્યા હતા તે અમલદારે તપાસ નહતી કરી, એટલું જ નહિ પણ જે ૭૦ ગામ કમિટીએ તપાસ્યાં તેમાંના એક ગામમાં ગણે તપાસ્યાં નહોતાં, છતાં એ તપાસ્યાં છે એવું જૂઠાણું એણે રિપોર્ટમાં જાહેર કર્યું, એ જૂઠાણુથી. સેટલમેંટ કમિશનરને અવળે રસ્તે દેરવ્યા, અને સરકારને ઊલટે પાટે ચડાવી મનાવ્યું કે આવા ઠાવકા દેખાતા આંકડા ઉપર સેટલમેંટને આધાર રાખી શકાય. (રિપોર્ટ પર ૪૩.) - ૨. મિ. ઍડર્સને પણ જૂઠાણું નહિ ચલાવ્યું તે ભયંકર બેદરકારી બતાવી. જે ગામાએ જઈને અમુક ગણતો તપાસ્યાં એમ એ કહે છે તે ગણોત પણ એણે તપાસ્યાં નહોતાં. અડાજણનું જે ગણોત ગયા પ્રકરણમાં નોંધવામાં આવ્યું છે, અને જેમાં ૨૭ ગુંઠાની જમીનના ટુકડાના ૫૦ રૂપિયા ગણોત આવતું હતું તે ગણોત મિ. ઍડર્સને પિતાના રિપોર્ટમાં નોંધ્યું છે, પણ તેને માટે જે ખુલાસે હતો તેની નોંધ નથી લીધી, એટલે કશી તપાસ નહેતી જ કરી. ખરડ, ત્રિા અને કુવાડિયા ગામે સાહેબ ગયા હતા છતાં ૩૪૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy