SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આખા ઉત્તરાર્ધને “ફળ’નું નામ આપ્યું છે. - પૂર્વાર્ધને “લેશ' કહ્યો હતો. “કલેશ” એટલે તપશ્ચર્યા. શુદ્ધ સાત્વિક તપશ્ચર્યા જેને કહે છે તેવી તપશ્ચર્યા બારડોલીના લોકોએ કદાચ ન કરી હોય, પણ તેમણે કદી ન ભોગવેલાં એવાં કષ્ટ ભોગવ્યાં એ તેમને માટે તપશ્ચર્યા જ હતી, અને એ “કલેશ”નું જ્યારે કેને “ફળ’ મળ્યું, ત્યારે જેમાં શિવજીને માટે તપશ્ચર્યા કરતી ઉમાને પિતાને “ક્લેશ”નું • ફળ” શિવજી મળ્યા અને તેને થાક ઊતરી ગયો તેમ લોકોનો પણ થાક ઊતરી ગયા. તેમને સત્યાગ્રહ સ્વીકારાયો અને સરકારે તપાસકમિટી નીમી એ જ એક ફળ તે હતું, પણ તપાસ કમિટીએ તેમની ફરિયાદ સાચી નહિ પાડી હેત તો એ ફળ અધૂરું રહી જાત. આ ફળ પણ બેવડું હતું. એક તો સત્યાગ્રહનું સીધું આર્થિક પરિણામ એ આવ્યું તે. આર્થિક પરિણામઃ બારડોલી અને ચોર્યાસી તાલુકામાં સરકારે ૧,૮૭,૪૯ર રૂપિયાને મહેસૂલવધારે ઠોકી બેસાડ્યો હતા તે ઓછો કરી તપાસ અમલદારેએ ૪૮,૬૪૮નો વધારે ઠરાવ્યો, એટલે બંને તાલુકા મળીને લોકોને દર વર્ષે લગભગ એક લાખ ચાળીસ હજારનો લાભ થયો, એટલે ૩૦ વર્ષને માટે ૪૫ લાખ અથવા વ્યાજની ગણતરી કરીએ તે કરેડ રૂપિયાને લાભ થયો. ૩૪૨
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy