SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ખેતીને ન! પણ જે આપે તેને તે ફાયદો થાય જ છે ના?” પણ એ કેટલા આપે છે એને જ પ્રશ્ન છે. આપ જે -અમને સિદ્ધ કરી આપે કે ૮૦ થી ૯૦ ટકા ખેડૂતો જમીન ગણોતે આપે છે, તો તમે ભલે તેમના ગણોત ઉપર કર લે.” પણ ગણોત ઉપર મહેસૂલની ગણતરી કરવાનો અમને પણ માહ રહ્યો નથી. અમારું કહેવું તો એ છે કે આકારને માટે કાંઈક આધાર તે જોઈએ જ ના ?. તમે નફાટાની ગણત્રી કરે છે તે ગણત્રી બરોબર કરવી અને તપાસવી એમાં તો કેટલાય દિવસો જાય અને એ કેટલી કડાકૂટનું કામ ?” એના કરતાં વધારે કડાકૂટનું કામ ગણોત તપાસવાનું તમને નથી લાગતું ? અને છતાં ગણોતો તે વિશ્વાસપાત્ર મળતાં - નથી ?' પણ અમે કયાં ગણેતના આધારને વરેલા છીએ? અમે તે કહીએ છીએ કે આવી ગણત્રી કરવામાં તે દરેક ગામડે બેત્રણ અઠવાડિયાં રહેવું જોઈએ.' “એ તો રહેવું જ પડે છે. સેટલમેંટ ૩૦ વર્ષને માટે કરવું એ કંઈ રમત વાત છે? એને માટે ગામેગામ અને ખેતરે ખેતરે તપાસ કરવી જોઈએ.” એ વાત તો સાચી. પણ એને માટે કેટલા માણસ જોઈએ, સરકારને પગાર કેટલા આપવા પડે ?” એ તે આપ જાણે. આપની આગળ તો અમે હકીકત મૂકી. એના ઉપર આ૫ વધારે વિચાર કરજો.” આ ઉપરથી જણાશે કે મહેસૂલ ગણાતને આધારે ઠરાવવાના સિદ્ધાન્તના મૂળમાં એ વાત ગ્રહણ કરી લેવામાં આવે છે કે બધી જ જમીન ગણોતે આપવામાં આવે તે તેનું અમુક ગણત મળે, અને એ ગણતના ૫૦ ટકા સુધી મહેસૂલ લેવું જોઈએ. પણ બધી જ જમીન ગણોતે આપવામાં આવે તો તે લે કોણ - અને ગણેત મળે ક્યાંથી એ સવાલનો અમલદારે કે સરકાર જવાબ - આપવાની દરકાર કરતી નથી.
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy