________________
ગંચઉકેલ? આપી મ અમારો નફાતોટાને હિસાબ તો અમલદારે
tu ખોટો ન પાડી શક્યા, પણ મુંઝવાઈ રહ્યા. નાતાલની રજા સુધી એમની એ મૂંઝવણ ચાલુ રહી, છેલ્લા વાતચીત થઈ ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ગણતને અધારે મહેસૂલ ઠરાવવાના સિદ્ધાન્ત ઉપર અમને વિશ્વાસ નથી પણ એ સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ ન હોય, અને અમારો હિસાબ એમને મૂંઝવનારો લાગતો હોય તો એ ગૂંચ ઉકેલવી શી રીતે ? એ ગૂંચ એમણે પાછા ગણતના માર્ગ જ ઉકેલી. એ ગૂંચ ઉકેલતાં એમને ઘણવાતનું દર્શન થયું અને એ વાતની ઉપરનું વિવેચન એ અમલદારોના રિપોર્ટને અમોલો ભાગ છે. અમલદારોની નફોતો શોધવાની દાનત નહોતી એમ નહિ, પણ એ શોધતાં તે તેમને આખું વરસ. કદાચ તાલુકામાં ગાળવું પડે અને અમારા આંકડાને ખૂબ છણવા પડે એટલે એ વાત જ એમણે પડતી મૂકી. માણસ પોતાની જમીન ખેડવાને બદલે અમુક રૂપિયે ગણોતે આપતો હોય તો તેટલી આવક એ એને જમીનમાંથી શુદ્ધ ન થાય છે, અને તેને એટલો શુદ્ધ ન થાય એટલે જે જમીન બીજાને ખેડવા ન આપતાં પોતે જ ખેડે છે તેને પણ એટલો નફે થતો હોવો જોઈએ એમ સ્વીકારી લીધે જ છૂટકે છે એમ અમલદારોને લાગ્યું. એ સિદ્ધાન્તની સાથે લડવાને માટે અમારી લડાઈ નહોતી, અમારે તે ચાલુ કાયદો અને ચાલુ રીતિ પ્રમાણે તપાસ કરવામાં આવે તો પણ બારડોલીને અન્યાય થયો છે એ. બતાવવું હતું. તાલુકાની સામાન્ય સ્થિતિવાળા પ્રકરણમાં એ અન્યાય એક દૃષ્ટિએ સિદ્ધ થયેલો બતાવવામાં આવ્યો. હવે આ પ્રકરણમાં બીજી રીતે એ અન્યાય કેમ સિદ્ધ થયે એ બેશું, અને અમલદારોએ પિતાની ગૂંચ કેવી રીતે ઉકેલી તે જોશું.
પહેલા પ્રકરણમાં શ્રી. જયકરે ઉટાંગ આંકડા કેવા ઊભાકીધા છે તેને પહેલો દાખલો અમલદારોએ તપાસેલા પહેલા જ
૩૩૦.