________________
૩
ખેતીને ન! આ ઉપરથી દેખાશે કે મજૂરીને આંકડો ગણવામાં આવ્યો નથી છતાં એ ખેડૂતની પાસે રૂ. ૮૩૭ ઓછા રૂ. ૫૭૦ એટલે રૂ. ૨૬૭ રૂપિયા રોકડા રહ્યા. ઉપરાંત ભાત, જુવાર, વાલ, અને દાળ મળીને ૨૮૬ રૂપિયાની કિંમતનો દાણો એના ઘરમાં રહ્યો, જેમાંથી એને જ દૂબળાનું અને પિતાના કુટુંબનું પિષણ કરવાનું અને ૧૪૫ રૂપિયા મહેસૂલ ભરવાનું, એટલે કે ૨૬૭ + ૨૮૬–૧૪૫ = ૩૦૮ રૂપિયામાં એણે પિતાનું, પોતાના કુટુંબનું અને ચાર દૂબળાનું પિષણ કરવાનું! એ પોષણ એ કેમ કરતે હશે તે ભગવાન જાણે! ગાયભેંસમાંથી થતી અને બીજી સગાવહાલાંના પગારની કમાણી વિના એ ખેડૂતની ખેતી અને તેનું જીવન અશક્ય થઈ પડે એ વિષે શંકા નથી.
કમાલ છોડની આવક ખર્ચના આંકડા વિષે ટીકા કરતાં અમલદાર લખે છેઃ
“નફે માત્ર ૩ રૂપિયા ૫ આનાને બતાવ્યું છે, પણ સરવાળે બેટ જ છે એમ કહેવામાં આવે છે, કારણ કપડાને ખર્ચ અને ઘસારે તે. ગણવામાં જ આવ્યું નથી. અમને આટલી બધી નિરાશાજનક સ્થિતિ કલ્પી લેવાનું કારણું લાગતું નથી. અમને એક ઠેકાણે કહેવામાં આવ્યું હતું કે એક જેડ બળદ અને બે ભેંસ મળીને ૧૦૦ રૂપિયાનું ખાતર આપે. આ માણસને ૬૦ રૂપિયાનું જ ખાતર મળે છે એમ જણાવવામાં આવ્યું છે એ ઓછું લાગે છે, એમાં જ ૪૦ રૂપિયા ઓછા બતાવવામાં આવ્યા, જે ગણવામાં આવ્યા હોત તો રૂ. ૫૮-૭ મહેસૂલ ભરવાનું છે તેમાંથી તેટલા. ઓછો થાતના ! પણ સાચી વાત તો એ છે કે એ ખેડૂતને પોતાની જમીનમાંથી રેજના ૭ શેર ચોખા અને પા શેર જુવાર પાકે છે, જેમાંથી. એને બે માણસ, એક સ્ત્રી અને એક છોકરાને જ ખવડાવવાનું છે. આ બધા અનાજની કિંમત જેમાં બાજુએ રૂ. ૧૯૧–૧૪-૦ બતાવવામાં આવી છે. જ્યારે ઉધાર બાજુએ રૂ. ૧૧૨-૮ અને રૂ. ૨૩૪ મળીને રૂ. ૩૪૬-૮ * ખાધાખાઈને બતાવવામાં આવ્યા છે. હવે એ માણસને ખાધાખાઈને માટે રિકડું તો જૂજ જ ખરચવાનું હોય, એટલે કે ૩૪૬-૮ બાદ ૧૯૧–૧૪-૦ ના છેડા જ ટકા જેટલું ખરચવાનું હોય, એટલે એને. કપડાંના અને ઘસારાના પૈસા સહેજે મળી રહે. આમ વિરોધી પક્ષ તરફથી આવતો, આવક ખર્ચની બંને બાજુ મેળવવાની મુશ્કેલીને, આ સરસ દાખલો છે.”
૩૨૭