SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ બારડેલી સત્યાગ્રહને ઇતિહાસ, વળી મામલતદારને એક હુકમ આ વસ્તુ ઉપર વધારે અજવાળું પાડે છે. આ હુકમની ઉપર ૨૩ મી ઑકટોબરની તારીખ છે. એમાં ૨૭મી ઓકટોબરે બધાં પત્રક લઈને પટેલતલાટીને તાલુકે હાજર થવાને હુકમ કરવામાં આવ્યો છે. કારણ, “તમે તૈયાર કરેલાં વેચાણનાં પત્રકાની મારે મેળવણી કરવાની છે.” વાંચનારે જે આ. ચર્ચાને બરોબર અભ્યાસ કર્યો હશે તો તેને યાદ હશે કે શ્રી. જ્યારે પિતાને રિપોર્ટ પહેલે મિ. ઍડર્સનને જેવા મેક હતો, પછી તે જોઈને તેને સુધારવાની તેમણે કેટલીક સૂચના કરી, તે પ્રમાણે સુધારીને તેમણે તે પાછા જેવા મોકલ્યો, અને આખરે નવેંબરમાં તે સરકારી રીતે રજૂ કરવામાં આવ્યો. પેલો સુધારીને મોકલવાનો હુકમ શ્રી. જયકરને આવ્યો ત્યારે તેઓ કલેકટરપદું કરતા હતા એટલે તેમનાથી કેમ તપાસણું થઈ શકે ? એટલે તેમણે કર્યો મામલતદારને હુકમ, અને મામલતદાર પટેલતલાટીને તાલુકે બોલાવેલા. પણ એ તપાસણીને વિષે મિ. ઍડર્સન કહે છે: “આ આંકડા મામલતદારે મેળવ્યા છે અને તપાસ્યા છે એમ તુમારમાંથી દેખાય છે. હવે મામલતદારની એ મેળવણીનો અર્થ તેમના એકાદ કારકુને અથવા સર્કલ ઇન્સ્પેકટરે કરેલી મેળવાણી હોય છે. સેટલમેંટ અમલદાર તે પોતે વેચાણ અને ગણોતના આંકડા તપાસે એવી આશા રખાય છે તેને બદલે પેલા સર્કલ ઇન્સ્પેકટર કે કારકુનની તપાસણી કેમ ચાલે ?” છેવટે ખેતીના ઉત્પન્નના ભાવમાં વધારો થવાને લીધે ૧૫ લાખ રૂપિયાનો લાભ ખેડૂતોને થયે એ દલીલનું બેહૂદાપણું તો આપણે ગયા પ્રકરણમાં જોઈ ગયા તેમ મિ. ઍડર્સને પિતાના રિપોર્ટમાં એવી સરસ રીતે બતાવ્યું છે કે તેને વિષે વધારે લખવાની જરૂર જણાતી નથી. આ તો શ્રી. જયકરે આધાર રાખેલી હકીકતનું પૃથક્કરણ થયું. મિ. ઍડર્સને તો ગણોતના આંકડા ઉપર જ આધાર રાખ્યો હતો. આજે જમાબંધીની જે કલમે છે તે મુજબ પણ એ આંકડાને ઉપયોગ કરતાં પહેલાં એ આંકડા પુષ્કળ પ્રમાણમાં છે કે નહિ તે જોવું જોઈએ અને આંકડા બરાબર તપાસેલા છે કે નહિ ૨૮ -
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy