SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ : રહે તે આજે બસ કે ત્રણ રૂપિયે પણ નથી મળતું. આ બધું ઝટ ઘટવાનું નહિ, અને માલના ભાવ તો ઘટતા ચાલ્યા જ છે” (ભાઈ નરહરિકૃત બારડોલીના ખેડૂતો”). ૭. ખેતીની મજૂરી બમણી નહિ પણ ચારગણું વધી છે. પણ એ તો મહેસુલ ઓછું કરવાના પક્ષમાં દલીલ છે, એ કોઈ પણ સામાન્ય અકકલને માણસ સમજી શકે. ( ૮. “જમીનની કિંમતમાં વધારો થયો છે તે લડાઈ પછીનાં વરસમાં થયો છે. તે વખતે કપાસના ભાવ એટલા વધી ગયા કે લોકોને કપાસની ખેતીમાં મોટો નફો દેખાવા માંડ્યો. તેમાં વળી પરદેશથી ધન કમાઈ લાવ્યા હોય તે લોકો જમીન સંપાડવા ઉત્સુક હોય. જેની પાસે કાંઈ જમીન હોય તેની કામમાં આબરૂ ગણાય. એટલે આવા લોકે મેં માગ્યાં દામ આપીને જમીન ખરીદવા પાછળ પડવ્યા. તેમાં ભારે ભાવની અંજામણ તો હતી જ. એટલે જમીનના ભાવ કૃત્રિમ રીતે વધેલા છે એમ કહી શકાય. ભાવ ઊતરતાંની સાથે આજે જમીનની કિસ્મતમાં ૨૫ ટકા ઘટાડો થંઈ ગયો છે; પણ ખેતીમાંથી નફો ન હોય તો જમીનની કિંમત વધારે કેમ રહી શકે એ કેયડો. સરકારી અમલદારને ઝટઝટ ન ઊકલી શકે. માનવલાગણીને જેમાં વિચાર નથી કરવામાં આવતો એવા પશ્ચિમના અર્થશાસ્ત્રથી રંગાયેલા સરકારી અમલદાર તો જરૂર એવી દલીલ કરે કે જે જમીનમાંથી સારી પેદાશ ન થતી હોય તો લોકો શું કામ જમીનમાં પૈસા નાંખે? પિતાનાં નાણાં વ્યાજે કેમ ન ફેરવે ? હકીકત એવી છે કે જે ખેડૂતના શહેરની બેંકમાં પચાસ હજાર રૂપિયા. પડ્યા હોય તેના કરતાં જે ખેડૂત પાસે પચાસ વીઘાં જમીન હોય તેની- આબરૂ કામમાં વધારે ગણાય છે. એટલે શહેરમાં ગમે તેટલું વ્યાજ મળતું હોય તો પણ ખેડૂત પિતાનાં નાણાં જમીનમાં જ રોકવાનું પસંદ કરે છે. “વતન” શબ્દની પાછળ, એક એવી ભાવના રહેલી છે જે ભાવના ખેડૂતને પિતાના વતનમાં જમીન સંપાડવા વાજબી કરતાં વધારે દામ આપવા પ્રેરે છે. પરંતુ આ વસ્તુ સરકારી અમલદારના સમજવામાં શી
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy