SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવાણી દશા હિંદુસ્તાનના ખેડૂતની છે. હું તો માત્ર એક સંન્યાસીએ જે જડીબુટ્ટી મારા હાથમાં મૂકી તે ઘસીને પાનાર છું. માન જે ઘટતું હોય તો તે જવ આપનારને છે. કંઈકે માન પેલા ચરી પાળનાર દદીને ઘટે છે–જેણે સંયમ પાળે અને તેમ કરીને હિંદુસ્તાનનો પ્રેમ મેળવ્યું, અને જેના પ્રતિનિધિ તરીકે મને આજે તમે માન આપે છે. બીજા કોઈને માન ઘટતું હોય તે મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે, જેમણે મને કદી પૂછવું નથી કે કાલે તમે કર્યો હુકમ કાઢશો ? આવતી કાલે તમે શું કરવાના છો? ક્યાં જવાના છે? તેની સાથે સમાધાનની વાત કરવાના છે? ગવર્નરના ડેપ્યુટેશનમાં કોને કોને લઈ જવાના છે? પૂને જઈને શું કરવાના છો ? જેમણે મારા પર જરાયે અવિશ્વાસ નથી રાખે, સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને તાલીમ બતાવી છે, એવા સાથીઓ મને મળ્યા છે. એ પણું મારું કામ નથી. આવા સાથીઓ પાક્યા છે, જેમને સાર ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે. આમ જે આ માનપત્રમાંનાં વખાણું વહેંચી આપવામાં આવે તો બધાં વખાણુ બીજાને ભાગે જાય, અને મારે ભાગે આ કેરે કાગળ જ રહે એમ છે. યુવકસંઘનું માનપત્ર જોઈને મારું દિલ લાગણીથી ભરાઈ ગયું છે. અમદાવાદના યુવકને જે હું સમજાવી શકું તે કહું કે તમારે આંગણે ગંગાને પ્રવાહ વહે છે. પણ ગંગાકાંઠે વસનારાઓને ગંગાની કિંમત નથી હોતી. હજારે માઈલથી લોકે ગંગામાં નહાઈ પવિત્ર થવા આવે છે. આજે જગતમાં પવિત્રમાં પવિત્ર સ્થાન ઈ હોય તો તે આ અનેક પ્રવૃત્તિવાળા શહેરમાં નદીને સામે કાંઠે છે, જ્યાં જગતમાંથી અનેક સ્ત્રીપુરુષે પવિત્ર થવા આવે છે. જુવાનને પવિત્ર થવાને આ અવસર મળે છે. જુવાને જે સમજે તો એ ગંગામાંથી બહાર જ ન નીકળે.' ખેડૂતને માટે મેં કામ કર્યું તેને માટે મને માનપત્ર શું? હું ખેડૂત છું. મારી નસેનસમાં ખેડૂતનું લોહી વહે છે. જ્યાં જ્યાં ખેડૂતને. દુઃખ પડે છે. ત્યાં ત્યાં મારું દિલ દુભાય છે. હિંદુસ્તાનમાં જ્યાં ૮૦ ટકા લોકે ખેડૂત છે ત્યાં યુવાનને ધર્મ બીજું શું હોય? ખેડૂતોની સેવા કરવી હેય, દરિદ્રનારાયણનાં દર્શન કરવા હોય તે ખેડૂતોનાં ઝુંપડાંમાં જાઓ. બારડોલીની લડતમાં યુવકસંઘે ભારે ફાળો આપ્યો છે. મુંબઈના યુવાએ શરૂઆત કરી. ત્યાંની બહેનોએ આવીને સ્થિતિ જોઈ અને ચોધાર આંસુ પાડ્યાં. તેમણે મુંબઈ શહેરને જાગ્રત કર્યું. પછી સૂરત અને અમદાવાદમાં યુવાનોમાં પણ ચેતન ફેલાયું છે. એ ચેતન જે ક્ષણિક ન હોય, એ પ્રકાશ દીવાની જ્યોત જે નહિ પણ સૂર્યના જે સ્થાયી હોય, તે દેશનું ૨૯૩
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy