SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્ટોલી સત્યાગ્રહના ઇતિહાસ કલ્યાણ થવાનું છે. દેશનું કલ્યાણ નથી મારા હાથમાં કે નથી ગાંધીજીન હાથમાં, તમારા યુવાનેાના હાથમાં છે. દરેક દેશમાં સ્વતંત્રતા યુવાને એ મેળવેલી છે, પચાવેલી છે,. અને ભવિષ્યના યુવાને આપેલી છે. આ માનપત્રના અ એ છે કે એ કામ તમને પસંદ છે, તમારું દિલ પલળેલુ છે. મારી ઉમેદ છે કે ખાકીનું. જે મહાભારત કામ રહેલું છે તે આપણે સાથે મળીને કરીએ. હું પ્રભુ પાસે માગું છું કે તમે જે અતિશયાક્તિભર્યાં શબ્દો મારે માટે વાપર્યાં છે તેને માટે તે મને યાગ્ય મનાવે, અને તમે પેાતાને માટે જે ઉમેદો બાંધી છે તે ખર લાવવાની તમને શક્તિ આપે. પ્રભુ તમારું કલ્યાણ કરે. સત્યાગ્રહનું રહસ્ય પચાવે આખી ઉજવણીના ઉપસંહાર તરીકે ગાંધીજીનું અમદાવાદનું ટૂંકું અને ટચ ભાષણ સમુચિત છેઃ આજના મેળાવડાની અંદર ન મને આવવાની આવસ્યકતા હોય, ન મને એક શબ્દ ખાલવાનું પ્રત્યેાજન હોય. વલ્લભભાઈ ને માનપત્ર અપાય. અને એમાં મારા જેવાની હાજરી હોય અને મને ખેાલવાનું કહેવામાં આવે એના અર્થ એ કે અમે બને ભેળા થઈને તમારી હાજરીમાં અને તમારી સંમતિથી એક પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવીએ અને તેના અમે એ જણા સભાસદ બનીએ. એ અમદાવાદના ચતુર શહેરીઓએ ઘડીભર પણ સહન ન કરવુ જોઈ એ. વલ્લભભાઈ નામે અને સાખે પટેલ છે. બારડોલીના વિજય મેળવીને એમણે પટેલની સાખ કાયમ રાખી. જે માલધણી પેાતાની સાખ કાયમ રાખે તેને કાઈ માનપત્ર આપે એવું જાણ્યું સાંભળ્યું નથી. મંગળદાસ શેઠ પેાતાને ત્યાં આવતી બધી હૂંડી સ્વીકારે તે માટે આપણે તેમને કેટલાં માનપત્ર આપ્યાં ? અને હૂંડી ન સ્વીકારે તેા તમે શું કરે તે નથી. જાણતા. તમે જો વિજયને માટે ધન્યવાદ લેવા માગેા કે આપવા માગેા તે વિજયનું ખરું રહસ્ય સમજો, અને સમજીને અનુકરણ કરો. ખરી રીતે કહું તેા તમારાથી જેટલું, હજમ થઈ શકે તેટલું પચાવા. પણ અનુકરણમાં જ સફળતા નથી રહેલી, અને અક્ષરશઃ અનુકરણ સહેલુ પણ નથી હોતું. પ્રસ`ગપ્રસંગમાં સામ્ય ભલે દેખાય, પણ જેમ મનુષ્યમનુષ્યમાં વ્યક્તિત્વ, રહેલું છે તેમ પ્રસંગામાં પણ પાતપેાતાનું વ્યક્તિત્વ રહેલું છે, એટલે જે માણસ સત્યાગ્રહના પ્રસંગોને સમજી, સિદ્ધાન્તનું રહસ્ય સમજી, તેને પચાવે, તેને અનુવાદ કરી તેને વનમાં ઉતારે તે જ સફળતા મેળવે ૨૯૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy