SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ સ્પષ્ટ લખ્યું હતું : “બી. બી. સી. આઈ. રેલ્વેના એજટની પાસેથી મને ખબર મળી છે કે ટાખી લાઇન આવતે વર્ષે આ જ સમયે શરૂ થશે. ગમે તેમ હો, પાંચ વરસ પછી બારડોલી સૂરતની સાથે રેલ્વેથી સંકળાશે એમ માનવામાં કશી અડચણ નથી. અને રિવિઝન દાખલ થયા પછી ૩૦ વરસ સુધી ચાલશે, એટલે જમીનના આકારના દર નક્કી કરતી વખતે ભવિષ્યમાં થનારી રેલવેથી થનારા ફાયદા ધ્યાનમાં લેવામાં વાંધો નથી.” રસ્તાઓના સુધારા વિષે તો કશું ન કહીએ તો સારું. બારડોલી તાલુકાનાં ગામડાંમાં ભટકનાર તાલુકાના પાકા રસ્તાઓની તારીફ કરે તો તે રસ્તા ઉપરથી તે ભટક્યો હોવા વિષે શંકા થાય. કર્નલ પ્રેસકોટના સમયમાં એ રસ્તા “માણસ અને પશુનાં કાળજાં તોડે એવા હતા, તે તે આજે કાંઈ બહુ સુધર્યા નથી, અને આજે જે સેંકડ કલાસ રસ્તા' કહેવાય છે તેમના કરતાં તે ચેમાસાના ચાર માસ સિવાયના આઠ માસમાં ગામઠી ગરઢ વધારે સારી. કર્નલ પ્રેસ કેટ કેટલાંય વર્ષ ઉપર લખ્યું હતું: “બારડોલી તાલુકે જ્યારથી આપણા હાથમાં આવ્યો છે ત્યારથી એ બહુ ભારે મહેસૂલ ભરતે આવ્યો છે, અને તેનો વિચાર કરીને પણ આપણે ત્યાં સારા રસ્તા કરવા જોઈએ.” આજે કહેવાતા સારા રસ્તા ઉપર મહેસૂલવધારે સુચવાય છે. ૨. વરતીમાં ૩૦ વર્ષમાં ૩,૮૮ ૦ વધારે એ વધારે કહેવા હશે ? ગામડાની વસ્તી તે તૂટી છે, કસબાની વસ્તી વધી છે. ૩. ભેંસો સિવાય બીજા કશાં સાધનોમાં વધારો થયો નથી. બળદોની સંખ્યામાં તો ઊલટો ઘટાડો થયો છે એમ શ્રી. જયકર પિતે કબૂલ કરે છે. વળી લોકે બીજે કમાઈ કરી લાવીને પણ અળદ, હળ, વગેરે ખરીદ કરે અને નવા મકાન પણ બાંધે. વળી કુટુંબે વિભક્ત થાય એટલે પણ નવા હળની, નવી ગાલ્લીની અને નવી બળદ જેડની જરૂર પડે. આ વાતને સ્વીકાર સૂરતના કલેકટર મિ. લેલીએ પણ કર્યો હતો. ૪. લાકે સમૃદ્ધ ન હોય તો પાકાં મકાને શી રીતે બાંધે છે એ સવાલ થાય છે. “આફ્રિકાથી ધન કમાઈ લાવે એટલે દેશમાં
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy