SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઓરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ જેલમાં ટકી શકશે, પણ સિનો ભ્રમ ભાગે, અને પિતાના ગામડામાં પણ કદી બહુ ન બોલનારા એ ભાઈએ પોતાનું સ્વાગત કરવાને ભેગા થયેલા ભાઈઓને કહ્યું: “મારી ભડક ભાંગી ગઈ મારી જીભ પણ ખૂલી ગઈ છે. જેલમાં કશું નથી. ઘેર મહેનત કરવાની અને ત્યાંયે મહેનત કરવાની. મને તે લાભ જ થયો છે, હું તો જેલમાં બીડી છોડી આવ્યો.” " જેલને ત્રાસ કેટલો હશે તે તો ભાઈ ચિનાઈને અને વાંકાનેરના એક ભાઈને કેવળ જેવાથી જ પ્રતીત થતું હતું. ચિનાઈનું તો વા જેવું શરીર, પણ તે શરીર ભાંગી પડયું. કામ રાક્ષસનું લેવું અને ખોરાક દુકાળિયાને આપ એ ન્યાયે આપણી જેલો ચાલે છે. ચિનાઈએ પિતે તો પોતાનું દુઃખ જાહેર ન કર્યું, પણ રવિશંકરભાઈએ બેત્રણ વાકમાં બધું કહી દીધું: “ચિનાઈએ તે કમાલ કીધી. એમની પવિત્રતાથી હું ચકિત થઈ ગયો. સવારથી ચક્કી શરૂ કરે તે ઘણીવાર સાંજના રોટલા વખત સુધી ચાલતી હોય ત્યારે માંડ પૂરા ૩૭ શેર થાય, થાક્યાપાક્યા પડે એટલે રોટલા ખાવાના હોય, અને પાણીમાં અગાઉથી ભીંજવી રાખેલા કેબી કે એવા જ કશાને પાકા, આંગળી જેટલા જાડા, ડીટાનું શાક હોય. પણ ચિનાઈએ કદી ફરિયાદ નથી કરી, પોતાનું કામ કદી કોઈની પાસે નથી કરાવ્યું.” આ શાક અને રોટલા અને માંદાની માવજતના સંપૂર્ણ અભાવને લીધે વિદ્યાપીઠને એક વિદ્યાર્થી ભાઈ દિનકર મહેતા તો જેલમાંથી ઝેરી તાવ લઈને નીકળ્યો. હજી અમદાવાદની ઈસ્પિતાલમાં પડવ્યો છે, અને બચે તે તેનાં સગાંવહાલાં અને મિત્રોના નસીબે બચે એવી સ્થિતિ છે.* જેલ નથી લાગી રવિશંકરભાઈને. તેમનું મધુરું હાસ્ય જેલમાં જઈ આવ્યાથી જરાય ઝાંખું નથી થયું. એમનું શરીર વજી જેવું હશે કે તે શરીરમાં રહેલું સંકલ્પબળ વજ જેવું હશે, તેમના અહીં સહર્ષ એ જણાવવું જોઈએ કે ભાઈ દિનકર હવે તન સાજા થઈ ગયા છે. ( – પ્રકાશક ૨૭૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy