SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ રળિયામણુ ઘડી થાય છે કે સાચે “ગાંધીરસ પીનારા તો આ જ તો છે, બીજા નામનાં છે. આવાઓની આગળ ગાંધીજીને કે વલ્લભભાઈને ભાષણે કરવાની પણ શેની જરૂર પડે? તેઓ તો કરવાનું કરી રહ્યાં છે. જેલી ભાઈઓ આ પાવક દશ્યમાં વૃદ્ધિ કરનારાં દર્શને જેલમાંથી છૂટી આવેલા. વિરેનાં હતાં. બારડોલીની લડતે જેમ જેલ બહાર રહેનારાઓની ઠીકઠીક કસોટી કરી છે તેમ જેલમાં જઈને બેઠેલાઓની પણ સારી કસોટી કરી છે. એ કસોટીમાંથી પાર ઊતરીને આવેલા, ઘસાયેલા શરીર પણ ઉજજવળ આત્મા સાથે આવેલા એ વીરેનાં દર્શન પાવક હતાં. બધા સત્યાગ્રહીઓમાંથી એકેના ઉપર સરકારના જેલર અને જેલ સુપરિન્ટેન્ડન્ટે કશી દયા કે ભલમનસાઈ રાખી હોય એમ ન સાંભળ્યું, પણ વિટંબણાની વાત કરતાં તેમનાં મેં ઉપર તે સ્મિતે સિવાય બીજું કશુંય નહિ. વાંકાનેરના ખેડૂતવીરોએ તે અગાઉ કદી જેલ જોયેલી, નહિ. તેમાંના ઘણાખરાને કઠણમાં કઠણ મજૂરી આપવામાં આવી હતી,-ચક્કીમાં ૩૭ શેર રોજ દળવાનું, પંપ ચલાવવાનો વગેરે – જેલર ખાસ ભલો થાય તો કોઈવાર ખરાબમાં ખરાબ ઘંટી પસંદ કરીને તે ઉપર દળાવતા, તો પણ જરાય આનાકાની વિના તેઓ પિતાનું કામ બજાવી આવ્યા. એ લોકોને જોઈને કોને ઉત્સાહ અને આશા ન મળે? રાયમનો એક ગરીબ ગાય જેવો ખેડૂત જરાય પુરાવા વિના જેલમાં ગયેલો. તેના સ્વાગતને માટે તેની વીર પત્ની આવી હતી. પત્નીને ભય હતો કે કદાચ પોતાનો ભલે, ગરીબ પતિ, જેલના ત્રાસ નીચે ભાંગી પડશે, પણ તે જેલની જહેમત વેઠીને સાજેસમે પાછા આવ્યા તેથી તે બહેનના આનંદનો પાર નહોતો. ગાંધીજીને પ્રણામ કરતાં કરતાં તે બહેન કહેઃ “છ મહિના તો ની રે'વા પામ્યા. તણ જ મહિનામાં આવી ગયા. એ ખેડૂતને લેવાને તેનું આખું ગામ સ્ટેશને ઊલટયું હતું. ઘણાઓને મનમાં થયું હશે કે આપણે આ ગરીબડ ભાઈબંધ શી રીતે ૨૬૯
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy